નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચટાકેદાર 'રીંગણનો ઓળો'

 
 
બનાવો રીંગણનો ઓળો

સામગ્રી:
6 લીલા મરચા, સમારેલા
4 ટેબલસ્પૂન તેલ
હીંગ, ચપટી
8 લીલી ડુંગળી, સમારેલી
2 મધ્યમ કદના ટમેટા
1 કીલો રીંગણ
1/2 ટીસ્પૂન હળદર
મીઠું સ્વાદ અનુસાર
લીલા લસણની કળી, 12, સમારેલી
1 ટીસ્પૂન જીરુ

રીત:
- રીંગણની છાલ બળી જાય ત્યા સુધી તેને આગ પર શેકો.
- તેને પાણીમાં નાંખીને ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી લો.
- તેના ગરનો માવો કરી લો.
- તેલ ગરમ કરો, તેમાં જીરુ નાંખીને સાંતળો.
- હવે તેમાં સમારેલું લસણ, ડુંગળી અને લીલા મરચા ઉમેરો.
- બે મિનીટ સુધી હલાવો.
- ત્યાર બાદ તેમાં સમારેલા ટમેટા, હળદર, હીંગ, મીઠું અને રીંગણનો માવો ઉમેરો.
- હવે તેને થોડી ક્ષણો માટે પકાવો અને પછી બાજરીના રોટલા સાથે ગરમ ગરમ સર્વ કરો

Comments

Post a Comment

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!