નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાત શરૂ કરી રહ્યું છે મોબાઇલ પર આ ખાસ સુવિધા!

અત્યાર સુધી તમે મોબાઇલ ફોન દ્વારા ખાસ કરીને એક બીજાને વાતચીત અથવા તો એસએમએસના માધ્યમથી સંદેશા મોકલતા રહ્યાં છે, પરંતુ હવે ભારતમાં મોબાઇલ ફોન દ્વારા એક ખાસ સર્વિસની શરૂઆત થવા જઈ રહીં છે.

હવે મોબાઇલથી નકલી દવાઓના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ લગાવી શકાશે. ગુજરાત સરકાર આ સુવિધા શરૂ કરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. આ યોજના સ્વરૂપે દવા વિક્રેતાઓને મોબાઇલ ઉપર એસએમએસ દ્વારા થર્ડ ક્લાસ દવાઓની સમગ્ર જાણકારી આપવામાં આવશે. આ જાણકારી દવાઓના લેબોરેટરી ટેસ્ટના આધારે મોકલવામાં આવશે.

- ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઑથોરિટી આ દિવસોમાં તેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે- મંજૂરી મળતા સુધીમાં ગુજરાતમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે- આનાથી બજારમાં હલકી દવાઓના વેચાણ ઉપર અંકુશ લગાવી શકાશે. - ગુજરાતમાં વોડાફોનના નેટવર્ક દ્વારા આ સર્વિસ શરૂ કરવામાં આવશે

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઑથોરિટી આ દિવસોમાં તેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ ખાસ સર્વિસ માટે નેશનલ ઇન્ફોરમેટિક્સ સેન્ટરે સૉફ્ટવેર પણ તૈયાર કરી લીધો છે. અને માનવામાં આવે છે કે ગુજરાતમાં વોડાફોનના નેટવર્ક દ્વારા આ સર્વિસ શરૂ કરવામાં આવશે.

આ બાબતે ગુજરાત સરકારને પ્રસ્તાવ મોકલી દેવાયો છે અને મંજૂરી મળતા સુધીમાં ગુજરાતમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. માનવામાં આવે છે કે આનાથી બજારમાં હલકી દવાઓના વેચાણ ઉપર અંકુશ લગાવી શકાશે.

વાચક મિત્રો જ્યારે ગુજરાત વિકાસની દિશામાં પહેલ કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારની આ વ્યવસ્થા પણ આવકારદાયક છે. આનાથી હલકી દવાઓનું વેચાણ અટકશે, જે સ્વાસ્થ્યને નુકસાન કારક છે અને જેના માટે વ્યર્થના રૂપિયા ખર્ચ થાય છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!