નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચહેરાની કરચલીઓ દૂર કરી વધતી ઉંમર અટકાવશે આ ફળ

 
 
-કેળાના ઉપોયગ જાણો, ચહેરાની કરચલીઓ દુર કરી આપની વધતી ઉંમર અટકાવે છે કેળું

બધા જ ફળોમાં કેળું એક એવું ફળ છે જે મોટાભાગના લોકોનું પસંદિદા ફળ છે. આ ફળ દરેક ન્યૂટ્રિશનની પણ પહેલી પસંદ છે. કેળું ન ફક્ત શરીરમાં આયરનની કમીને દુર કરે છે પણ તે સ્કિનને પણ ચમકાવે છે.

વિશેષજ્ઞોના જણાવ્યાં પ્રમાણે, કેળું ખાવાથી સ્કિનને જેટલી ફ્રેશનેસ મળે છે તેટલો જ ફાયદો તેની પેસ્ટ સ્કિન પર લગાવવાથી થાય છે.

બ્યૂટીશિયન નિક્કી બાવાએ જણાવ્યું હતું કે આમ તો ફ્રૂટ ફેશિયલ પેસ્ટ રેડીમેડ મળે જ છે પણ જે લોકો ફ્રેશન ફ્રૂટ ફેશિયલ કરાવવાનું પસંદ કરતે છે તેમના માટે પપૈયું અને કેળુ સૌથી વધુ ફાયદાકારક છે. કારણકે કેળાથી ચહેરાનો થાક દુર થાય છે અને ફ્રેશનેસ પણ આવે છે.

*ઘરમાં આ રીતે બનાવો પેસ્ટ

-કેળાની પેસ્ટ બનાવવાં એક પાકુ કેળુ લો અને તેમાં એક ચમચી મધ મેળવી લો. તેને મેશ કરી તેને ચહેરા અને ગરદન પર લગાવી દો અને 15 મીનિટ માટે રાખો. પછી ટિશ્યૂ પેપરથી સાફ કરી ચોખ્ખા પાણીથી થોઈ લો.

-કેળાના મેશમાં તમે 5-6 ટીપા ઓલિવ ઓઈલ મેળવીને આ પેસ્ટ અપલાય કરવાથી કરચલીઓ દૂર થાય છે

-પાકા કેળાના મેશમાં નારિયળનું તેળ મેળવીને હાથ અને સ્કિન પર લગાવો. તેનાથી હાથ પર કરચલીઓ નહીં પડે

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!