નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેનને બજારમાં ઉતાર્યો હિન્દી દિશા-નિર્દેશવાળો કેમેરો ઇ-800

નવી દિલ્હી. કેમેરા બનાવતી જાપાનની અગ્રણી કંપની 'કેનન'ની ભારતીય એકમ કેનન ઇંડિયા પ્રા.લિમિટેડના મધ્યમ વર્ગના શહેરો અને ગામડાઓમાં પગ જમાવવા માટે હિન્દીમાં દિશા નિર્દેશ આપવાવાળો કેમેરો બજારમાં ઉતાર્યો છે.

કેનન ઇંડિયાના અધ્યક્ષ તેમજ મુખ્ય કાર્યકારી અધિકારી કેનસાકૂ કોનિશીએ આજે અહીં જણાવ્યું કે, ભારતમાં કેમેરાનું ચલણ ખુબજ તેજીથી વધી રહ્યું છે. મધ્યમવર્ગના શહેરો, નગરો અને ગામડાઓમાં કેમેરાઓ ખુબજ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કેનને હિન્દીમાં દિશા-નિર્દેશવાળા કેમેરા બજારમાં લોન્ચ કર્યા છે.

તેઓએ કહ્યું કે, આ હિન્દીમાં દિશા-નિર્દેશ દેખાડનારો કેમેરો 'ઇ-800' છે જે શરૂઆતી સ્તરનો છે. તેમાં તમામ આઘુનિક વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ઘણાબધા રંગોમાં ઉપલબ્ધ છે. આ સિવાય આ કેમેરાને ખુબ ઝડપથી દેશભરમાં ઉપલબ્ધ કરી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે અન્ય કેમેરાઓમાં પણ હિન્દીમાં દિશા-નિર્દેશનો વિકલ્પ આપવામાં આવશે.

તેઓએ જણાવ્યું કે, આ કેમેરાને ઉપયોગમાં લેવા હવે અંગ્રેજીનું જ્ઞાનની જરૂર નથી. તેઓએ વધુમાં કહ્યું હતું કે, કેનન ઇંડિયાએ વર્ષ 2015 સુધીમાં એમના બિઝનેસને એક અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. કેનન ઇંડિયાની પ્રોડ્ક્ટ્સ દેશભરમાં 400 શહેરોમાં ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!