નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ અંગે દૂરસંચાર રાજ્યમંત્રી ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે," અત્યારે પંજાબ અને બિહારની કુલ 20 પોસ્ટ ઓફિસમાં આ સેવાની શરૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ યોજના દેશના તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે, જ્યાંથી મોટી સંખ્યામાં મનીઓર્ડર કરવામાં આવે છે."હવે SMSની મદદથી મોકલો દેશમાં મનીઓર્ડર

 
 
જે લોકો પોતાના પરિવારને પૈસા મનિઓર્ડરથી મોકલે છે તેમના માટે ખુશીના સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગ ટૂંક સમયમાં દેશમાં મોબાઇલથી મનીઓર્ડર મોકલવાની યોજના શરૂ કરી રહ્યો છે. આ યોજનાની શરૂઆત ચંડીગઢમાંથી થવા જઇ રહી છે.

જે વ્યક્તિને મનીઓર્ડર કરવો હશે તેનું નામ, સરનામુ અને મોબાઇલ નંબર પોસ્ટ ઓફિસમાં આપવો પડશે. ત્યારબાદ મનીઓર્ડર આપવાની સૂચના એસએમએસ દ્વારા મનીઓર્ડર પ્રાપ્થ કરનાર વ્યક્તિને અને સબંધિત વિસ્તારની પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવશે.

મનીઓર્ડર પ્રાપ્ત કરનારો વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં જઇને તેનો મનીઓર્ડર મેળવી શકશે. અધિકારીએ જણાવ્યું હતું કે જો કો વ્યક્તિ તેના ઘરે જ મનીઓર્ડર લેવા માંગતો હોય તો પોસ્ટમેન તેના ઘરે જઇને મનીઓર્ડર આપી આવશે.

આ અંગે દૂરસંચાર રાજ્યમંત્રી ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે," અત્યારે પંજાબ અને બિહારની કુલ 20 પોસ્ટ ઓફિસમાં આ સેવાની શરૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ યોજના દેશના તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે, જ્યાંથી મોટી સંખ્યામાં મનીઓર્ડર કરવામાં આવે છે."


આ સેવા બુધવારે ચંડીગઢ જીપીઓ સિવાય પંજાબના રોપડ હેડ ઓફિસ અને ડેરા બસ્સી વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત બિહારના પટના જીપીઓ, પટના સીટી, પટના સચિવાલય અને ગુલજાર બાગમાં પણ યોજના શરૂ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!