નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ફરસાણમાં બનાવો 'સેન્ડવિચ ઢોકળા'

 
 
ચટપટા સેન્ડવિચ ઢોકળા

સામગ્રી:

1 કપ તૂવેર દાળ
1 કપ ચણાની દાળ
1/2 કપ મગની દાળ
1/2 કપ અડદની દાળ
6 કપ ચોખા અથવા ચોખાનો લોટ
2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ
2 કપ ખાટું દહીં
1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ
1 ટીસ્પૂન હળદર
1 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર

વઘાર માટે

2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન રાયના દાણા
1 ટીસ્પૂન તલ
1/2 ટીસ્પૂન હીંગ

ચટણી માટે

1 જૂડી લીલા ધાણા
3-4 મધ્યમ કદના લીલા મરચાં
2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ
1 ટીસ્પૂન લીંબુન
રસસ્વાદ અનુસાર મીઠું

રીત:

- બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો.
- હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો.
- આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો. તેમજ હળદર અને મીઠું મિક્સ કરો.
- એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો.
- જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો.
- ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર છે.
- હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો.
- આ થાળીને સ્ટિમ કુકરમાં 5-8 મિનીટ સુધી પકાવો.
- ત્યાર બાદ તૈયાર કરેલી ચટણીને થાળીમાં રહેલા ખીરા પર એકસમાન સ્તરમાં પાથરો.
- હવે ચટણી પર ફરી ખીરું પાથરો અને 10-12 મિનીટ સુધી પાકવા દો.
- બહાર કાઢ્યા બાદ થાળીને ઠંડી થવા દો ત્યાર બાદ ઢોકળાને નાના ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો.
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા અને તલ ઉમેરો. રાયના દાણા ફૂટે એટલે તેમાં હીંગ નાંખીને તેને આંચ પરથી ઉતારી લો.
-વઘારને કાપેલા ઢોકળા પર રેડો. લીલા ધાણા અને છીણેલા નાળિયેર સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!