નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઊંઘ નથી આવતી?

વયસ્ક વ્યક્તિને લગભગ ૬ થી ૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે. જોકે વૃદ્ધાવસ્થામાં ઊંઘ ઓછી થઇ જતી હોય છે. ઊંઘ ઓછી આવવી અથવા ન આવવી એ બીમારીનું લક્ષણ છે. તેની અસર દર્દીના સમગ્ર શરીર પર પડે છે. સારી ઊંઘ એ સારા સ્વાસ્થ્યની નિશાની છે. સારી ઊંઘ ન આવવા માટે વિવિધ શારીરિક તથા માનસિક કારણો જવાબદાર હોય છે. વૃદ્ધાવસ્થામાં મુખ્યત્વે પેશાબને લગતી તકલીફને કારણે અનિયમિત ઊંઘ આવતી હોય છે, પરંતુ ઊંઘને લગતી બીમારીમાં સૌથી સબળ કારણ ચિંતા અને અવિરત વિચારો છે. વ્યક્તિના સ્વભાવની સીધી અસર તેની રોજિંદી ક્રિયાઓ પર પડતી હોય છે.

વધુ પડતી લાગણીશીલ વ્યક્તિને કોઇ વાતનો કે ઘટનાનો આઘાત લાગ્યો હોય તો પણ અનિદ્રાની તકલીફ થતી હોય છે. ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓમાં દર્દીને અનિદ્રા રહે છે. હોમિયોપેથીમાં અનિદ્રાની તકલીફને દૂર કરવા માટે તેના મૂળ કારણ સુધી પહોંચવા દર્દીને તેનો સમગ્ર ઈતિહાસ જણાવવાનું કહેવામાં આવે છે. શારીરિક તથા માનસિક લક્ષણોની સંપૂર્ણ વિગતોનું બારીકાઇથી અધ્યયન કરવામાં આવે છે. દર્દીની લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફારો સૂચવવામાં આવે છે.

તમામ લક્ષણોને આધારે હોમિયોપેથીક દવા નક્કી કરવામાં આવે છે. હાયોસાયમસ, લેકેસીસ, આર્સેનિક આલ્બ, નક્સવોમિકા, સીલીસિયા, કોફિયા વગેરે દવાઓ અનિદ્રાનું નિરાકરણ લાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત બાયોકેમિક દવાઓ કાલીફોસ, ફેરમફોસ, સીલીસિયા વગેરે પણ ઉપયોગી છે. જો ફક્ત વૃદ્ધાવસ્થાને કારણે ઊંઘની તકલીફ હોય તો સીફીલીનમ, બરાયટા કાર્બ, પેસીફ્લોરા, ઓપીયમ, સલ્ફર જેવી દવાઓ ઉપયોગમાં લેવાનું કહેવામાં આવે છે. દવા સિવાય સામાન્ય કસરત, યોગાસન, સાદો ખોરાક, નિયમિતતા, શોખના વિષયને વિકસાવવો અને શારીરિક શ્રમ વધારે ફાયદાકારક હોય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !