નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચાની ચુસ્કી નોંતરી શકે છે સંધિવા

શું તમે ચા અને કોફીના મોટા શોખીન છો? તો આ અચૂક વાંચો. કારણ કે એક નવા સંશોધન પ્રમાણે કેફીનયુક્ત પીણા લેતા લોકોને સંધિવાની સમસ્યા વધી શકે છે. શોધ દરમિયાન જાણવા મળ્યું કે કેફીનયુક્ત પીણા જેવા કે ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, સોડા વગેરે પીતા લોકોના યરિક એસિડમાં કેફીનની માત્રા વધતી જોવા મળી, જે સંધિવા જેવા જોખમ માટે પ્રભાવી ગણાય છે.
સંશોધનકર્તાઓએ અભ્યાસ માટે લગભગ 633 લોકોને પસંદ કર્યા. તેમણે એક વર્ષ સુધી કેફીનયુક્ત પીણાનું સેવન કર્યુ. આ શોધ દરમિયાન એ અભ્યાસ પણ કરવામા આવ્યો કે કેફીનયુક્ત પીણા કેટલા પ્રમાણમાં લેવાથી સંધિવાની સમસ્યા સર્જાય છે.
શોધ દરમિયાન જોવા મળ્યું કે જે લોકોએ છેલ્લા 24 કલાકમાં વધુ વખત કેફીનયુક્ત પીણા પીધા તેમનામાં સંધિવાનો હુમલો વધુ જોવા મળ્યો. રિપોર્ટ કહે છે કે 24 કલાકમાં ત્રણથી ચાર કેફીનયુક્ત પીણા પીવાથી સંધિવાના હુમલામાં 40થી 80 ટકાનો વધારો જોવા મળે છે.
મુખ્ય સંશોધનકર્તા તેમજ બોસ્ટન યુનિવર્સિટી સ્થિત સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર તુહીન નિયોગીએ જણાવ્યું કે શોધ દરમિયાન જોવા મળ્યું કે કેફીનયુક્ત કોફી, ચા, સોડા અથવા તેવા કોઇપણ પીણાથી સંધિવાના હુમલામાં મદદ મળે છે. જ્યારે કેફીનમુક્ત ચા, કોફી, સોડા કે જ્યુસ પીતા લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું કે તેમનામાં સંધિવાનો હુમલો નથી થયો. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !