નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સુંદરતા નિખારે દહીં

ત્વચાની ચમક તમારી વધતી ઉંમરને છુપાવી દે છે. કોસ્મેટિકસથી તમારા ચહેરાની ચમક કેટલાક સમય સુધી જ સારી રહી શકે છે, પરંતુ કુદરતી વસ્તુઓથી ત્વચાની ચમક હંમેશાં જળવાઇ રહે છે.ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે દહીં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. દહીં ઉબટણ તરીકે ત્વચા પર લગાવવાથી ત્વચા માટે મોઇશ્વરાઇઝરનું કામ કરે છે અને ત્વચાને ચમકદાર અને કાંતિમય બનાવે છે.દહીંને તમે ઘરેલુ ફેસપેક તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કનું કામ કરે છે.

- દહીંને તમે કોઇ અન્ય વસ્તુ સાથે ભેળવીને ત્વચા પર લગાવી શકો અથવા દહીંને એકલું પણ ત્વચા પર લગાવીને ત્વચાને નવશેકા પાણીથી ધોવાથી તમારી ત્વચા કોમળ બને છે.

- જો તમારી ત્વચા શુષ્ક હોય તો અડધો કપ દહીંમાં એક નાની ચમચી ઓલિવ ઓઇલ અને એક નાની ચમચી લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાવીને નવશેકા પાણીથી ચહેરો ધૂઓ. આનાથી ત્વચાની શુષ્કતા ઓછી થઇ જશે.

- એક વાટકી દહીંમાં ગાજર, કાકડી, પપૈયું વગેરે ફળોનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચામાં ચમક આવશે. તમે ઇચ્છો તો ઋતુ પ્રમાણેના શાકભાજીનો રસ પણ દહીંમાં ભેળવીને તેનો પેક તૈયાર કરીને પણ ચહેરા પર લગાવી શકો છો.

- એક ચમચી દહીંમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વચા કાંતિવાન બને છે. આનાથી ત્વચાનું પીએચ બેલેન્સ યોગ્ય રીતે જળવાઇ રહે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !