નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાણી પર બનાવે છે અદ્દભૂત પેઈન્ટિંગ


શેંધી પેઇન્ટિંગ માટે નેપ્થાનો ઉપયોગ કરે છે

ચીનના શાનજી વિસ્તારના જિઆનમાં રહેતા જુ શેંધીએ પેઇન્ટિંગ કરવાનો નવો પ્રયોગ અપનાવ્યો છે. જુ શેંધીને પેઇન્ટિંગ કરવા માટે કેન્વાસ પર નવા કપડાની જરૂર નથી પડતી. તે પાણી પર પેઇન્ટિંગ કરે છે.

આપણે પણ બ્રશ લઇને પાણી પર પેઇન્ટિંગ કરવા જઇએ તો આટલું સુંદર તેનું પરિણામ ન આવે. શેંધી તેના માટે એક સાધન અને નેપ્થાનો ઉપયોગ કરે છે. તેની મદદથી તે પાણીના તળિયે વિસ્તારથી તસવીર ઉતારી દે છે. ત્યારબાદ તે તેને કેન્વાસ પર રાખે છે.

કેન્વાસ રંગોને શોષતો નથી અને પેઇન્ટિંગ કેન્વાસ પર ઉતરી આવે છે. આમ, કેન્વાસ પર બનેલું પેઇન્ટિંગ કોઇ પણ જાતના સાધનની મદદ વિના પોતાની મેળે બને છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !