નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમેરિકા વિરુદ્ધ પાક.-અફઘાન સીમા પર એક થયા આંતકીઓ


*અલગ-અલગ જુથોના આતંકીઓ નાટો સૈન્ય સામે લડવા એક થયા
*લશ્કર-એ-તોઈબા અને તાલિબાન પણ એક બીજાને મદ કરે છે

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સીમા પર સક્રિય અલગ-અલગ આતંકી જુથો અમેરિકા અને નાટો સેના વિરુદ્ધ એક થઈ રહ્યા છે. આ આતંકીઓએ ફરી એક વખત આ વિસ્તારમાં પોતાનો દબદબો સ્થાપવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

આ વિસ્તારમાં મુલ્લા મોહમ્મદ ઉમર, હક્કાની નેટવર્ક અને હિકમતયારના આંતકી જુથો સક્રિય છે, પરંતુ હવે તેમની વચ્ચે સહયોગ વધી રહ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય લશ્કર-એ-તોઈબા અને તહરીક-એ-તાલિબાના પણ એક બીજાને મદદ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સીમા આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન માનવામાં આવે છે, પરંતુ અહીં સક્રિય આતંકીઓ અલગ-અલગ જુથોમાં વહેંચાયેલા છે. અનેક વખત આ જુથો અંદરો અંદર લડે છે.

હવે આ ક્ષેત્રમાં નાટોના વધી રહેલા દબાણને કારણે આતંકી જુથો એક થઈ રહ્યા છે. હાલમાં જ આતંકીઓએ નાટો સેનાના પૂર્વ અફઘાનિસ્તાન કેમ્પ પર હુમલો કર્યો હતો. નાટો સૈન્યની જવાબી કાર્યવાહીમાં અમુક આતંકીઓ માર્યા ગયા હતાં. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે માર્યા ગયેલા આતંકીઓ ત્રણ અલગ-અલગ જુથના હતાં.

નાટો સેના, ખાસ કરીને અમેરિકન કમાન્ડર અફઘાનિસ્તાનની સીમાથી નીકળીને પાકિસ્તાનની સીમાના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. તેને રોકવા માટે જુદા જુદા આતંકી જુથોના જવાનો સીમા પર એક થઈ રહ્યા છે. એક નાટો અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ચિંતાની વાત છે કે આતંકી જુથો એક થઈ રહ્યા છે. અધિકારીએ દાવો કર્યો છે કે હવે અમેરિકા તેમજે નાટ સૈન્ય પાકિસ્તાનની સીમા પર આવેલા આતંકી કેમ્પો પર હુમલા કરી રહ્યું છે, જેનાથી આતંકીઓ પણ દબાણ ખૂબ વધી ગયું છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !