નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ સાહસને દાદ તો આપવી જ રહી...

આ દ્રશ્ય છે સિડનીમાં આયોજિત હોબાર્ટ રેસનું
હોય હૈયે હામ અને ઈશ્વરમાં અડગ શ્રઘ્ધા, પછી બીજી જરૂર શી! કવિવર ટાગોરની પંક્તિ એકલો જાને રે અહીં યાદ આવ્યા વિના ન રહે. સિડનીમાં આયોજિત હોબાર્ટ રેસમાં નાનકડી હોડી સાથે ખલાસીએ દિલમાં મોટી હામ લઈ દરિયામાં ઝંપલાવ્યું હતું. દરિયો કયારે તોફાની બનશે, એનો અણસાર ભલે હમણાં ન હોય, પરંતુ માથે મંડરાતા તોફાની, કાળા ડિબાંગ, ધેઘૂર વાદળો તો કયારે ફાટશે, એનું નક્કી નહીં. આકાશમાંથી ગમે ત્યારે આખો દરિયો વરસી પડે તેવી નજરે દેખાતી, અનુભવાતી ક્ષણમાં પણ જરાય વિચલિત થયા વિના નાવિકે હોડી હંકારવાનું છોડયું નથી. આ સ્પર્ધામાં જીત ચાહે ગમે તે સ્પર્ધકની થઈ હોય, આ નાવિકની હિંમતને સલામ મારવાનું ચૂકવા જેવું નથી જ. હોબાર્ટ સેસની એક તસવીરી ઝલક...
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !