નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સેહવાગ દ.આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાંથી બહાર


- ખભામાં ઈજાના કારણે સેહવાગને આરામ કરવાની સલાહ
- વીરૂના સ્થાને મુરલી વિજય કે રોહિત શર્માને ટીમમાં સમાવાશે
- ઈજાના કારણે વીરૂને મેમાં ટી20 વર્લ્ડકપમાં ગુમાવવો પડ્યો હતો


દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો પડ્યો છે. ઈજાના કારણે વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ વન ડે શ્રેણીની બહાર થઈ ગયો છે.



ખભામાં ઈજા થઈ હોવાના કારણે સેહવાગને જાન્યુઆરીમાં રમાનારી વન ડે શ્રેણીમાંથી હટી જવાની સલાહ આપવામાં આવી છે. સેહવાગના સ્થાને રોહિત શર્માને ટીમમાં સમાવવામાં આવે તેવી શક્યતા છે.

બીસીસીઆઈના એક નિવેદનમાં જણાવાયું છે કે સેહવાગના ખભામાં ઈજા થઈ હોવાના કારણે તેને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં નહીં રમવાની સલાહ આપવામાં આવી છે. સેહવાગના સ્થાને રોહિત શર્માને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

બોર્ડ સેક્રેકટરી એન.શ્રીનિવાસને ઉમેર્યુ હતું કે મુરલી વિજયને પણ વન ડે શ્રેણી માટે દક્ષિણ આફ્રિકામાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ખભાની ઈજાના કારણે 32 વર્ષિય આક્રમક ઓપનરને મેમાં યોજાયેલા આઈસીસી ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ જવાની ફરજ પડી હતી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !