નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ પાંચ શેર, જે કારોબારમાં તમારા રોકાણને કરાવશે નફો

બજારમાં કયા શેરમાં રોકાણ કરવાથી તમને નફો થશે, જાણો અમારા નિષ્ણાતોના મતે, જેઓ ખાસ્સા માર્કેટ રિસર્ચ પછી પાંચ એવા શેર પસંદ કરે છે જે તમારી મહેનતની કમાણીને યોગ્ય વળતર અપાવી શકે. અમે અહિ જણાવી રહ્યાં છીએ તે પાંચ શેર જે કરાવશે તમને નફાનો કારોબાર.

બાલચંદ નગરઃ-આ કંપનીને યૂએસ અને અન્ય દેશોમાંથી ભારે ઓર્ડર પ્રાપ્ત થયા છે, જેનાંથી કંપનીની સ્થિતિ આગળ પણ મજબૂત બનેલી રહેશે. આ કંપનીનો શેર તમે R 163 એ ખરીદી શકો છો. તેનો સ્ટૉપલોસ 151 અને ટાર્ગેટ 180 રૂપિયાએ રહેશે.

અદાની પાવરઃ-આ કંપનીના શેર તમે R 127ની સપાટીએ ખરીદી શકો છો, અને તેનો સ્ટૉપલોસ નક્કી કરો 112 રૂપિયાએ. આ કંપની પાવર સેક્ટરમાં પોતાનો કારોબાર વધારી રહી છે, જેના કારણે તેના શેરોમાં આગળ પણ ઉછાળો જોઈ શકાશે. આ કંપનીના શેરનો ટાર્ગેટ રાખવો R 142ની સપાટીએ.

અરેવા ટી એન્ડ ટીઃ-આ કંપનીના અપકમિંગ પરિણામો ખાસ્સા સારા આવવાની આશા છે, તેના પરિણામો 38 ટકાની જબર્દસ્ત વૃદ્ધિ થવાની આશા છે. આ કંપનીનો શેર તમે 317 રૂપિયાની સપાટીએ ખરીદી શકો છો, ત્યાંજ R 305એ તેનો સ્ટૉપલોસ અને 330 રૂપિયાએ તેનો ટાર્ગેટ નક્કી કરવો.

ઓરિસ્સા મનિરલ્સ ડેવેલપમેન્ટ કંપની લિમિટેડઃ-આ કંપનીનો શેર R 57400ની સપાટીએ ખરીદવો, અને તેનો સ્ટૉપલોસ રાખવો R 56500એ. આ કંપનીનો શેર ટાર્ગેટ R 70,000નો રહેશે. ડીસઈન્વેસ્ટમેન્ટના કારણે તેના શેરોમાં આગળ પણ ખાસ્સો નફો મળવાની આશા છે.

ટી એફ સી આઈઃ-આ કંપનીના શેર તમે 34.50 રૂપિયાની સપાટીએ ખરીદી શકો છો, તેનો સ્ટૉલોસ 31 રૂપિયાની સપાટીએ રાખવો અને ટાર્ગેટ રાખવો R 40.10એ. આ કંપનીનું આઈએફસીઆઈ સાથે મર્જર થવાનું છે, જેના કારણે તેના ભાવમાં તેજી આવવાની આશા છે. જાણકારોના મતે તેના મર્જર પછી કંપનીના ભાવ R 40 કરતા પણ ઉપર જઈ શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !