નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તૈયાર થઇ જાઓ ગુજકેટ-૨૦૧૧ માટે


ગુજરાતમાં ચાલતા તબીબી, ઇજનેરી અને એગ્રિકલ્ચરના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધો-૧૨ વિજ્ઞાન પાસ તથા પરીક્ષા દેનાર વિદ્યાર્થી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૧૧ માટે હાલ અરજી કરી શકે છે. પરીક્ષા તા. ૭-૪-૨૦૧૧ને ગુરુવારના રોજ યોજાશે.

અરજીપત્ર: વિશેષ માહિતી માટે ક્લિક: www.gseb.org. છેલ્લી તા. ૨૭-૧૨-૨૦૧૦ છે.

સ્ટાફ સિલેકશન દ્વારા કલર્કની ભરતી: આ માટે યોગ્યતા ધોરણ-૧૦ પાસ. વય: ૧૮થી ૩૫ વર્ષ. લેખિત પરીક્ષા: તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે યોજાશે. ક્લિક: www.ssc.nic.in. છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૧૦ છે.

નૌકાદળમાં લોજિસ્ટિક કેડરમાં ભરતી: નૌકાદળની એક્ઝિક્યુટિવ શાખામાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર તરીકે અપરિણીત ઉમેદવારોની ભરતી થઇ રહી છે.

વયમર્યાદા: સાડા ૧૯થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે. 

પસંદગી પ્રક્રિયા: સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા સમાવિષ્ટ ઉમેદવારોને જાન્યુ-જુલાઇ-૨૦૧૧માં બેંગ્લોર/ ભોપાલ/કોઇમ્બ્તુર ખાતે ટેસ્ટ માટે બોલાવાશે. www.nausena-bharti.nic.in. છેલ્લી તા. ૨૭ ડિસે.

દેના બેન્કમાં ઓફિસર્સ ભરતી: દેના બેન્ક દ્વારા પ્રોબેશનરી ઓફિસરની ૧૦૦ જગ્યાઓ પર ૨૧થી ૨૫ વર્ષના ગ્રેજ્યુએટ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. 

અરજીપત્ર: ક્લિક: www.dena-bank.com. છેલ્લી તા. ૨૮-૧૨-૨૦૧૦ છે.

ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ/ પ્રિ-ડેન્ટલ એન્ટ્રન્સ એકઝામિનેશન (AIPMT)-૨૦૧૧ યોજાનાર છે. આ પરીક્ષા દ્વારા ઓલ ઇન્ડિયાની સરકારી/ ગ્રાન્ટ ઇન એઇડ કે મ્યુનિસપિલ હસ્તકની મેડિકલ/ ડેન્ટલ કોલેજોમાં ૧૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. બાયોલોજી ગ્રૂપના વિદ્યાર્થીઓ આ પરીક્ષા દ્વારા મેડિકલ/ ડેન્ટલમાં પ્રવેશની તક ઝડપી શકે છે.

પરીક્ષાપદ્ધતિ: સૌપ્રથમ પ્રિલિમિનરી ટેસ્ટ તા. ૩ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે. ઓનલાઇન અરજી માટે ક્લિક: www.aipmt.nic.in. છેલ્લી તા. ૭-૧-૨૦૧૧ છે.

કોલેજ ઓફ એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ: જી. બી. પંત યુનિ. ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેક્નોલોજી, સંલગ્ન કોલેજ ઓફ એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે બે વર્ષમાં પૂર્ણ સમયના એગ્રિકલ્ચર તથા ઇજનેરી અભ્યાસ સંબંધિત એમબીએમાં પ્રવેશ માટે અરજી કરી શકાય છે. 

પ્રવેશપ્રક્રિયા: આઇઆઇએમ-કેટ, ૨૦૧૦ના સ્કોરને આધારે પ્રવેશ અપાશે. www.cabm.ac.in. છેલ્લી તા. ૩૧-૧૨-૧૦ છે.

ભારતીય નૌકાદળમાં ભરતી: નૌકાદળમાં સિનિયર સેકન્ડરી અંતર્ગત ભરતી: ભારતીય નૌકાદળમાં સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ અંતર્ગત અપરિણીત પુરુષ ઉમેદવારોની ભરતી થઇ રહી છે.

યોગ્યતા: મેથ્સ અને ફિઝિકસ તથા કેમિસ્ટ્રરી/બાયોલોજી/કોમ્પ્યૂટર સાયન્સમાંથી કોઇ એક વિષય સાથે ધો-૧૨ પાસ અરજીપાત્ર છે.
વયમર્યાદા: ઉમેદવારનો જન્મ તા.૧ ઓગસ્ટ, ૧૯૯૦થી ૩૧ જુલાઇ, ૧૯૯૪માં થયો હોવો જરૂરી છે.

અરજીપત્ર: ક્લિક: www.nausena-bharti.nic.in.. છેલ્લી તા. ૨૫-૧૨-૨૦૧૦ છે.

રેલવે ગ્રુપ-ડીમાં એક્સ-સર્વિસમેનની ભરતી: વેસ્ટર્ન રેલવે, રિક્રુટમેન્ટ સેલ દ્વારા ઇન્ડિયન નેશનલ એક્સ-સર્વિસમેનની ભરતી ટ્રેડમેન/ગેંગમેન/હેલ્પરની ગ્રુપ-ડીની જગ્યાઓ પર ૧૮થી ૩૩ વર્ષના ઉમેદવારોની ભરતી થઇ રહી છે. 

અરજીપત્ર: ક્લિક: www.wr.indinarail. gov.in. અરજીની છેલ્લી તા.૨૭-૧૨-૨૦૧૦ છે.

મહારાષ્ટ્રમાં પીજી મેડિકલ/ડેન્ટલ પ્રવેશ: મહારાષ્ટ્રની અનએઇડેડ પ્રાઇવેટ મેડિકલ એન્ડ ડેન્ટલ કોલેજિસમાં ચાલતા એમડી/એમએસ/એમડીએસ તથા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાનાર છે. 

ક્લિક: www.amupmdc.org. છેલ્લી તા.૨૪-૧૨-૨૦૧૦ છે. 

દેના બેન્ક દ્વારા કલર્કની ભરતી

અહીં ૧૮થી ૨૮ વર્ષના ઉમેદવારોએ ૬૦ ટકા સાથે ધો-૧૨ પાસ અથવા સ્નાતક હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા ૬ માર્ચ, ૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !