નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શંકર ભગવાન કેમ નીલકંઠ કહેવાયા?

હિંદુ ધર્મમાં પાંચ પ્રમુખ દેવતાઓને પ્રધાન ભગવાન શિવ માનવામાં આવે છે. આ માટે શિવને મહાદેવ પણ કહેવામાં આવે છે. એવા જ અનેક નામ શિવની મહિમા સાથે જોડાયેલા છે. શિવના આ નામમાંથી જ એક નામ કલ્યાણકારી છે નીલકંઠ

આ નામનું ફક્ત પૌરાણિક જ નહીં વ્યવહારિક જીવનના પણ સંદેશ આપે છે. આ નામથી જોડાયેલી પૌરાણિક કથા પ્રમામે દેવી- દાનવ દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથનથી નીકળેલા ઝેરનું અસર દેવ-દાનવ સહિત જગત સહન ના કરી શક્યું.



ત્યારે દરેક વ્યક્તિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી. ભગવાન શંકરે પૂરા જગતની રક્ષા અને કલ્યાણ માટે તે ઝેરનો સ્વીકાર કર્યો, વિષ પીને શંકર નીલકંઠ કહેવાયા.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન શંકરે સમુદ્ર મંથનથી નીકળેલા વિષનું પાન શ્રાવણ મહિનામાં કર્યું હતું અને વિષ પીવાથી જે અગન થઈ હતી તેને શાંત કરવા સમુદ્ર મંથન બાદ નીકળેલા ચંદ્રને મસ્તિષ્ક પર ધારણ કર્યું.

વ્યવહારિક સ્વરુપે કહીએ તો ભગવાન શંકર દ્વારા વિષ પીને કંઠમાં રાખવું જોઈએ. તેમાંથી નીકળેલી દાહની ઠંડક એ વાતનો સંદેશ આપે છે કે પોતાની વાણી અને ભાષા પર સંયમ રાખવો. જ્યારે વ્યક્તિના મનને કાબૂમાં રાખવાની સાથે બુદ્ધિ અને જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવો. શંકરની જટાઓમાં બેઠેલી ગંગા જ્ઞાનની સૂચક છે અને ચંદ્રમાં વિવેક અને મનના સૂચક છે.



ગંગા અને ચંદ્રમાંને ભગવાન શંકરે તેમની જ જગ્યા પર રાખ્યા છે જ્યાં માનવના વિચારો આવે છે.એટલે કે તે મસ્તિષ્ક કેન્દ્રી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત