નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજના જમાનાની ચાર ગંભીર બીમારીનો સરળ ઉપાય

પેટથી જોડાયેલી સમસ્યા જેવી કે એસીડિટી અને કબજીયાત. આ બીમારિઓ આજકાલ મોટાભાગના લોકોને પરેશાન કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે કૂર્માસનના નિયમિત અભ્યાસથી ઘણો ફાયદો થાય છે. 

કૂર્માસનની વિધિ –

કોઈ સમતલ સ્થાન પર વજ્રાસનની સ્થિતિમાં બોઠી જાવો. હવે બન્ને કોણીઓને નાભિની બન્ને બાજુ રાખો. હથેળીઓ ઉપર ની તરફ રાખતા હાથને સીધા રાખો. શ્વાસ બહાર નીકાળતા સામેની તરફ નમો. દાઢીને હથેળીઓથી સ્પર્શ કરો. દ્રષ્ટિ સામે રાખો. શ્વાસ લેતા પાછા આવો કે શ્વાસની સ્થિતિ સામાન્ય રાખતા થોડીવાર નીચેની તરફ નમો. 

કૂર્માસનના લાભ –

- આ આસનના નિયમિત અભ્યાસથી જઠરાગ્નિ સક્રિય થાય છે.

- જેથી ડાયબિટીસની બીમારીને અટકાવી શકાય છે. 

- પેટ સંબંધી ઘણા નાના-નાના રોગો હંમેશા દૂર જ રહે છે.

- સાથે જ આ આસન હૃદય સંબંધી બીમારિઓને પણ અટકાવવામાં મદદ થાય છે. 

આજના જમાનામાં હૃદયની બીમારીઓ અને ડાયાબિટીસ તથા એસીડિટી અને કબજીયાત આ ચાર બીમારી સામાન્ય થતી જાય છે, ત્યારે આ ગંભીર બીમારીનો આ સટીક ઉપાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !