નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગદ્દાફીની ક્રૂરતા તો બધાએ જોઈ, દયાના આ 5 સ્વરૂપ પણ જોઈલો

દુનિયાભરમાં ક્રૂરતાનો પર્યાય અને જુલમી તાનાશાહ જણાવાયેલા લીબિયાના પૂર્વ શાસક જનરલ ગદ્દાફી આજે આ દુનિયામાં નથી. ગદ્દાફી ભલે પોતાના શાસન કાળમાં જુલમી રહ્યા હોય પણ આ વાતને ક્યારેય પણ અવગણી ન શકાય કે આ શાસકે તેની પ્રજા માટે પણ ઘણું બધુ કર્યું છે. 

ગદ્દાફી સાથે જોડાયેલી એવી કેટલીય વાતો છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે અને બની શકે કે ગદ્દાફીની અત્યાચારી ઈમેજ બદલાઈ પણ શકે. જાણીએ ગદ્દાફી અને લીબિયા અંગે કેટલીક એવી વાતો જેને આજ સુધી દુનિયામાં ઘણા ઓછા લોકો જાણે છે..


1) લીબિયામાં જનતાને વીજળીનું બિલ માફ રહેતું હતું,
અહીંયા લોકોને બાકી દેશોની જેમ વીજળીનું બિલ જમા
 નહોતું કરવું પડતું. (તેની ભરપાઈ સરકાર કરતી)
 
2) લીબિયા સરકાર (ગદ્દાફી સાશન)પોતાના નાગરિકોને આપેલી લોન ઉપર વ્યાજ નહોંતી વસૂલતી. માનો કે તમને ઇન્ટરેસ્ટ ફ્રી લોન ખાસ્સી સરળતાથી મળી જતી અને ચુકવવાની રહેતી માત્ર મૂળ રકમ.
3) લીબિયામાં 'ઘર'માનવ અધિકારની શ્રેણીમાં હતા. લીબિયાના પ્રત્યેક વ્યક્તિને તેનું પોતાનુ મકાન આપવું, સરકારી જવાબદારી હતી. તમને જણાવી દઈએ કે ગદ્દાફીએ કસમ લીધી હતી કે જ્યાં સુધી લીબિયાના પ્રત્યેક નાગરિકને તેનું પોતાનું મકાન નહીં મળી જાય, તેઓ પોતાના માતા-પિતા માટે પણ ઘર નહીં બનાવે, આજ કારણ હતું કે ગદ્દાફીની માતા અને પત્ની આજે પણ ટેન્ટમાં જ રહે છે.
4) લીબિયામાં લગ્ન કરનારા પ્રત્યેક દંપત્તીને ગદ્દાફી
તરફથી 50 હજાર ડૉલરની રમમ આપવામાં આવતી 
હતી. (દુનિયામાં કદાચ જ કોઈ સરકાર કે શાસક આવું 
કરતો હશે)
5) લીબિયામાં તમામ નાગરિકો માટે સ્વાસ્થ સુવિધાઓ 
પૂરી રીતે ફ્રી હતી. જી હાં, લીબિયન નાગરીકો દ્વારા
સ્વાસ્થ સેવાઓ ઉપર થનારો ખર્ચ ગદ્દાફી સરકાર    પોતેભરપાઈ કરતી હતી.
 


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !