નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો 'પ્લેન નાન'



વેરાઈટીમાં બનાવો પ્લેન નાન

સામગ્રી:
500 ગ્રામ મેંદો
1 ટીસ્પૂન યિસ્ટ
1 ટીસ્પૂન કાળુજીરું (કલોંજી)
1/4 કપ દહીં
2 ટેબલસ્પૂન માખણ
1 ટીસ્પૂન ખાંડ
1 કપ ગરમ પાણી
1 ટીસ્પૂન મીઠું

રીત:
- ખાંડ અને યિસ્ટને ગરમ પાણીમાં ઓગાળી લો અને 10 મિનીટ સુધી બાજુમાં રાખી મૂકો.
- મેંદાના લોટને મીઠા સાથે ભેળવીને ચાળી લો.
- તેમાં કાળુજીરું, દહીં, માખણ અને યિસ્ટ-ખાંડ વાળુ પાણી મિક્સ કરો.
- મિશ્રણમાંથી નરમ કણક બાંધી લો. તેના પર થોડુ તેલ લગાડીને તેને ભીના કપડાથી ઢાંકી લો.
- કણકને હૂંફાળી જગ્યાએ 2-3 કલાક માટે રાખી મૂકો. જેથી તે તેના કદ કરતા બેગણો ફૂલી જાય.
- હવે કણકને ફરીથી એક વાર મસળી લો અને તેને 8 ભાગમાં વહેંચી દો.
- દરેક ભાગને ગોળ આકાર આપીને દબાવીને સહેજ સપાટ કરો.
- હવે તેને નાનનો આકાર આપો.

માઈક્રોવેવમાં:
- ઓવનને 450 ફેરનહિટ પર પ્રિહિટ કરી લો. દરેક નાનને 10 મિનીટ સુધી બેક કરો.
- નાન શેકાઈ જાય એટલે તેના પર ઘી અથવા માખણ લગાડી દો.
- કોઈ પણ વેજ સબ્જી અથવા દાલ સાથે નાન માણી શકો છો.

તવા પર:
- તવા પર નાન બનાવવા માટે તવાની સપાટી પર પાણી લગાડો.
- હવે નાનને તવા પર લગાડી દો.
- તવાને ગેસની આંચ પર ઊંધો ગોઠવી દો જેથી નાન સીધી જ ગેસની આંચના સંપર્કમાં આવે.
- જ્યારે નાન શેકાઈ જાય ત્યારે તેને ચિપીયા વડે તવા પરથી કાઢી લો.
- ઘી કે માખણ લગાડીને ગરમાગરમ સર્વ કરો
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !