નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લાલ મરચા ખાવા કંઈ નુકસાન કારક નથી, આ વાંચો



 
વધારાની કેલરી બાળીને વજન ઘટાડે છે લાલ મરચાં

લાલ મરચાંનો ડોક્ટર સ્વાસ્થ્ય માટે સારા નથી ગણતા. લાલ મરચાંની જગ્યાએ તેઓ લીલા મરચાં ખાવાની સલાહ આપે છે.

જો તે બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં ડોક્ટરની આ સલાહને ખોટી સાબિત કરવામાં આવી છે. સંશોધકોએ દાવો કર્યો છે કે શરીરમાં રહેલી બિનજરૂરી કેલરી બાળવામાં લાલ મરચાં લાભદાયી છે.

પર્ડ્યૂ યુનિવર્સિટીના સંશોધક પ્રોફેસર રિચર્ડ મેટ્સનું કહેવું છે કે લાલ મરચાં ખાવાથી મેદસ્વિતા ઓછી થાય છે અને સાથે જ ભોજન કર્યા પછી વધારાની કેલરી બાળવામાં પણ મદદરૂપ થાય છે.

સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે લાલ મરચામાં રહેલું કેપ્સાસિન તત્વ જે મરચાંને તીખા બનાવે છે તે ભૂખ ઓછી કરે છે અને કેલરીને બાળીને ઉર્જાનો વધારે ઉપયોગ કરે છે.

સંશોધકોનું કહેવું છે કે રોજ એક ગ્રામ અથવા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ભોજનમાં ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત