નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુસ્સાને ભગાડવાં બસ આટલું કરો

અગાઉના સમયમાં અમુક વ્યવહાર માટે કેટલાક અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી રહેતી હતી. પહેલાં ગુસ્સો આવે તો તેના માટે પણ એક અલગથી રૂમ રહેતો હતો. અનુચિત અંગેની પણ એક શિસ્ત હતી.

વર્તમાનમાં આપણે ગુસ્સાને તો સાથે જ લઈને ફરતા હોઈએ છીએ. દરેકનો ગુસ્સો પોતાની અંગત બાબત હોય છે. કોઈને અમુક બાબતે ગુસ્સો આવતો હોય છે તો કોઈને કોઈક બીજી જ બાબત ગુસ્સે કરતી હોય છે. કામ, મદ અને લોભ અંગત નથી હોતાં. કામનું ધ્યેય અને કેન્દ્ર નક્કી હોય છે. મદ અને લોભની પરિસ્થિતિ પણ નક્કી હોય છે, પરંતુ ગુસ્સો કઈ વાતે આવે અને કઈ વાત પર ન આવે એ નક્કી કરવું કપરું છે.

તમે તમારા ગુસ્સાને જાતે જ ઓળખો. ગુસ્સાને ઠંડો કરવાની સૌથી સીધી અને સરળ રીત નિશ્વિંતતા છે. કોઈ એક વાત પર અટકી જવું ગુસ્સાનું કારણ બની જાય છે. કોઈએ આપણું અપમાન કર્યું અને આપણે એ અપમાનની વાત પર અટકી જઈએ તો સમજી લેવું કે ગુસ્સો આવી જશે. ગુસ્સો સંક્ષિપ્ત સ્વરૂપમાં આવેલું પાગલપણું છે. ગુસ્સાવાળી વ્યક્તિ અને પાગલ માણસ વચ્ચે મૌલિક અંતર કશું જ નથી. અંતર ફક્ત એટલું જ છે કે પાગલ માણસ સ્થાયી સ્વરૂપે પાગલ હોય છે જ્યારે ગુસ્સાવાળી વ્યક્તિ અસ્થાયી પાગલ.

આજે દરેક માણસ જવાળામુખી લઈને ફરી રહ્યો છે. જે વ્યક્તિના મનમાં ગુસ્સો ભરેલો હોય છે તેની આજુબાજુનું વાતાવરણ પણ અશાંત થઈ જાય છે. આપણાં ઘરોમાં હવે ગુસ્સો ઠંડો પાડવા માટે અલગથી રૂમ નથી હોતા. હવે તો મુખ્ય દરવાજાથી માંડીને અંદરના પ્રાંગણ સુધીની દરેક ચાર દીવાલો ગુસ્સો ઠારવાનું મકાન બની ગયા છે. ગુસ્સો દૂર કરવો હોય તો સ્વજનોને મળતા રહો અને અજાણ્યા તરફ સ્મિત રેલાવતા રહો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !