નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતમાં દૂધના ભાવ વધ્યા પણ દિલ્હી-એનસીઆરમાં નહીં વધે

 
નવી દિલ્હી. દિલ્હી અને એનસીઆરના લોકો માટે સારા સમાચાર છે. મધર ડેરી, અમુલ અને પારસ જેવી દૂધ ઉત્પાદક કંપનીઓએ કહ્યું કે અત્યારે દુધની કિંમતોને વધારવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે અમૂલ દૂધની માર્કેટિંગ કરનારી કંપની ગુજરાત કૉઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સોમવારે ગુજરાતમાં દૂધની કિંમતોમાં વધારો કરી દીધો છે.

ત્યારબાદ દિલ્હી અને એનસીઆરમાં પણ અમૂલ બ્રાન્ડ દૂધની કિંમતો વધારવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહીં હતી. ગુજરાતના આણંદમાં સ્થિત કંપનીના સંચાલકિય નિર્દેશક એસ. સોઢીએ જણાવ્યુ કે સોમવારે ગુજરાતમાં અમૂલ ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશિયલની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સ્લિમ એન્ડ ટ્રિમ તેમજ તાજાની કિંમતોમાં 1 રૂપિયો પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

તેઓએ જણાવ્યુ કે મુંબઈમાં પણ અમૂલ ગોલ્ડ અને તાજાની કિંમતો 10 જુલાઈથી ક્રમશઃ 2 અને 1 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સોઢીએ કહ્યું કે અત્યારે દિલ્હી અને એનસીઆરમાં દૂધની કિંમતો વધારવાની કોઈ યોજના નથી.

બીજી બાજુ દિલ્હી અને એનસીઆરમાં સૌથી વધારે દૂધ વેચનારી કંપની મધર ડેરી અને પારસ દૂધ વેચનારી કંપનીએ પણ રાજધાની ક્ષેત્રણાં દૂધની કિંમતોમાં તાત્કાલિક વધારો કરવાથી ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પહેલી મે મહીનામાં ત્રણેય પ્રમુખ દૂધ વિતરણ કંપનીઓએ ફુલ ક્રીમ, ટોન્ડ અને ડબલ ટોન્ડ દૂધમાં બે રૂપિયા પ્રિત લીટરનો વધારો કર્યો હતો.

મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું કે અત્યારે દિલ્હી એનસીઆર અથવા ભારતના કોઈ પણ ક્ષેત્રમાં દુધની કિંમતો વધારવાની કોઈ યોજના નથી. પારસ કંપનીના ઑપરેશન વિભાગના ડાયરેક્ટર નરેન્દ્ર નાગરે પણ નજીકના ભવિષ્યમાં કિંમતો વધારવાથી ઇનકાર કર્યો છે. નાગરે કહ્યુ કે જોકે ડીઝલની કિંમતો અને અન્ય કારણોસર અમને થોડી સમસ્યાઓ નડી રહીં છે, પરંતુ ગ્રાહકોની ભલાઈ માટે અમે અત્યારે કોઈ વધારો નથી કરી રહ્યા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!