નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફરી વર્ષો પછી જીવતી થઈ એક સબમરીન, તસવીરો!

આ યુ બોટ બનાવનારો ઈંગ્લેન્ડનો એક શાંત શહેરી છે આ બોટ એટલા માટે બનાવવામાં આવી છે, જેથી નાઝીઓના હુમલાવાળા સમુદ્રી દુઃસ્વપ્નની યાદ તાજી થઈ શકે
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરની નૌસેનામાં સામેલ યુબોટે નાઝીઓને સમુદ્રમાં લડાઈ કરવામાં મદદ કરી હતી. આ વખતે ફરી એક યુ બોટ બની છે, પરંતુ તેને બનાવનારો ઈંગ્લેન્ડનો એક શાંત શહેરી છે, જેનો ઉદ્દેશ્ય કંઇક અલગ કરવાનો છે.

લંકશાયરના બુર્સકોફની એક નદીમાં ચાલતી આ સબમરીન લોકોને બીજા વિશ્વયુદ્ધ અને નાઝીઓના આક્રમણની યાદ અપાવે છે. આ યુ બોટ-8047 જર્મન સબમરીનની નકલ છે. રિચર્ડ વિલિયમ્સે આશરે 50 હજાર પાઉન્ડના ખર્ચે તે બનાવી છે. આ બોટ એટલા માટે બનાવવામાં આવી છે, જેથી નાઝીઓના હુમલાવાળા સમુદ્રી દુઃસ્વપ્નની યાદ તાજી થઈ શકે. જો કે તેમની વેશભૂષા જોઇને લોકો તેમને નાઝી કહીને બોલાવવા લાગ્યા છે.

તેમની બોટના કેટલાક હિસ્સાની ચોરીનો પ્રયાસ પણ થયો હતો, પરંતુ વિલિયમ્સનું કહેવુ છે કે તે એક શાંત શહેરી છે અને શાંત નદીમાં આ નાવ ચલાવે છે. તેમનો હેતુ એ જણાવવાનો છે કે તે સમય કેવો રહ્યો હશે અને તે સબમરીન અંદર બહારથી કેવી દેખાતી હશે?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન તાનાશાહ હિટલરની નૌસેના કિંગ્સમરીને યુ બોટ સબમરીનો બનાવી હતી. કેટલાય આકાર પ્રકારવાળી આ સબમરીનોમાં હથિયાર રાખવાની જગ્યા હતી અને તેમાંથી કેટલાય જાપાન અને અમેરિકાના તટો સુધી પાણીની અંદર જઈ શકે છે.

*
 
 
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!