નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તાજ-ઓબેરોયને પણ ટક્કર મારે એવી છે આ ઈકો ફ્રેન્ડલી હોટલ

 
પન્નાના જંગલોમાં રમણીય દ્રશ્યો વચ્ચે સ્થિત પાષાણગઢ લૉજને મધ્યપ્રદેશ ઈકો ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા નવી દિલ્હીમાં ઈકો ટૂરિઝ્મ એવૉર્ડ 2010-11નો શ્રેષ્ઠ ઈકો ફ્રેન્ડલી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. એક નાની ટેકરી ઉપર સ્થિત આકર્ષક પત્થરોથી બનાવામાં આવેલા અહીંયા કોટેજનો નજારો તમારૂ દીલ પણ જીતી લેશે.

લૉજ માટે ઓછામાં ઓછી જગ્યા ઉપયોગ કરવામાં આવી છે. ઈકો ફ્રેન્ડલી ડિઝાઇન, નિર્માણ કાર્ય દરમિયાન એક પણ પાંદડાઓને કાંપનવામાં નથી આવ્યું તેમજ કૃત્રિમ તળાવ દ્વારા વરસાદના પાણીની બચત જેવા માપદંડો ઉપર ખરી ઉતરવા ઉપર પાષાણગઢ હોટલની પસંદગી પુરસ્કાર માટે કરવામાં આવી છે.

ઉચ્ચપ્રદેસ વિસ્તારમાં સ્થિત પાષાણ ગઢ હોટલ, આસપાસના પ્રાકૃતિક નજારાઓથી ભરપૂર જંગલો, ઘટાઓ, ઝરણાઓ વગેરે નજારાઓથી ખાસ્સી આકર્ષિત કરનારી છે. અહીંયા આવનારા મુસાફરોની આ પહેલી પસંદ માનવામાં આવે છે.

આની નજીક જ પન્ના નેશનલ પાર્ક, જીવ પ્રેમિયોને રોમાંચિત કરે છે. અહીંયાથી થોડેક દુર જ વિશ્વપ્રખ્યાત ખજુરાહો મંદિર પણ આવ્યું છે. ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડના સંચાલકિય નિર્દેશક રેમન્ડ બિક્સનનું કહેવું છે કે તાજ સફારી પાષાણગઢને આ સમ્માન મળવુ ગૌરવની વાત છે. આ પુરસ્કાર માટેની પસંદગી મધ્યપ્રદેશ સરકારના વન વિભાગ અને ઈકો ટૂરિઝ્મ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !