નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતની આ મોબાઇલ કંપનીને લાગ્યો જોરદાર ઝાટકો

 
- માઇક્રોમેક્સને લાગ્યો મોટો ઝાટકો
- કંપનીએ વેપારનું વિસ્તરણ કરવા માટે આઇપીઓ લાવવાની હતી
- પણ શએરબજારની સ્થિતિ કથળતા હાલ ઇશ્યૂ લવવાની મોડી વાળી


મોબાઇલ નિર્માતા ભારતીય કંપની માઇક્રોમેક્સ ઇંફોર્મેટિક્સને મોટો ઝાટકો લાગ્યો છે. કંપની પોતાનું કામકાજ દેશ-દુનિયામાં વધારવા માટે નાણાં એકત્ર કરી રહી હતી અને તેના માટે તે એક મોટો આઇપીઓ લાવી રહી હતી. પરંતુ તેને એક મોટો ઝાટકો લાગ્યો.

સાડા ચાર હજાર કરોડ રૂપિયાના વાર્ષિક વેપારવાળી કંપની માઇક્રોમેક્સ 426 કરોડ રૂપયાનો પબલ્કિ ઇશ્યૂ લાવી રહી હતી અને તેના માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી. આ વર્ષે 14મી જાન્યુઆરીના રોજ સેબીએ તેને આગળ વધવાની મંજૂરી પણ આપી દીધી હતી. આ ઇશ્યૂ તે સમયે આવવાનો હતો, પરંતુ જૂનથી જ માર્કેટની સ્થિતિ પાછી બગડવાનાલીધે કંપનીએ પોતાના વિચાર બદલી નાંખ્યો અને તેને સેબીને આ ઇશ્યૂ ટાળવાનું કહી દીધું.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે પ્રસ્તાવિત આઇપીઓ રદ્દ થઇ ગયો છે અને કંપની એક ઉપયુક્ત તારીખની તપાસમાં છે જેથી કરીને ફરીથી લાવી શકાય. શેરબજારની હાલની સ્થિતિ જોત એ કહેવું મુશ્કેલ છે કે હવે આ પબલ્કિ ઇશ્યૂ ક્યારે આવશે, પરંતુ દિવાળીની આસપાસ તેને લાવવાની શક્યતા દેખાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!