નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે બેન્કો વસુલશે ચેકબુક કે એસએમએસ મોકલવાના પૈસા

નવી દિલ્હી, જી હાં, વધતા વ્યાજ દરો પછી હવે તૈયાર થઈ જાવ બેન્કોની સેવાઓ માટે ફી ચુકવવા માટે. ભારતની કેટલીય મોટી બેન્ક હવે પોતાની ખાસ્સી સેવાઓના બદલે પૈસા વસુલવા માટેની તૈયારી છે.

બેન્કો ઉપર આ સમયે રિઝર્વ બેન્કનું દબાણ છે કે તેઓ સેવિંગ્સ બેન્ક ઉપર વ્યાજ દરોને મુક્ત કરી દે. અત્યારે સેવિંગ્સ બેન્ક ઉપર વ્યાજ દરો નક્કી છે અને તે 4 ટકા છે. રિઝર્વ બેન્ક તેને પુરી કરી દેવા માંગે છે.

તેનુ કહેવું છે કે દરેક બેન્ક પોતાની સુવિધા પ્રમાણે વ્યાજ દરો આપે. સ્પષ્ટ છે કે આવામાં વધુ ગ્રાહકો મેળવવા માટે વધારે વ્યાજ આપશે. તેની અસર સીધી તેમના લાભ ઉપર પડશે. તેમનું કહેવુ છે કે 4 ટકાથી વધારે વ્યાજની અસર તેમના લાભ પર પડશે.

એટલા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે ચેકબુક, એટીએમ, એસએમએસ વગેરે માટે કેટલોક ચાર્જ વસુલ કરશે. તેમનુ કહેવું છે કે આ તમામ ઉપર ખર્ચ થાય છે અને તેઓ તેના માટે ફી વસુલશે. બેન્કો કેટલાય પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ઘ કરાવે છે, જેની ઉપર હવે ફીસ આપી પડી શકે છે.

સેવિંગ્સ બેન્કમાં વધારે પૈસા રાખનારાને વધારે વ્યાજ આપવાની વાત કરવામાં આવી રહીં છે. કેટલાક બેન્કરોનું કહેવું છે કે સેવિંગ્સ બેન્કમાં વધારે પૈસા રાખનારાઓને વધારે વ્યાજ આપશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !