નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવા પ્લાસ્ટિકમાંથી બનેલા રોડ જોયા છે ક્યાંય?

 
પ્લાસ્ટિકની થેલીઓ, તૂટેલી ડોલ અને ચંપલોમાંથી બને છે આ રસ્તો તેનાથી સામાન્ય લોકોને કમાણી મળે છે અને પર્યાવરણનો બચાવ પણ થાય છે
પ્લાસ્ટિકમાંથી બનેલા રસ્તા વિશે કદાચ તમે ક્યાંય નહીં સાંભળ્યુ હોય, પણ હિંદુસ્તાનમાં તમે આની કલ્પના ચોક્કસ કરી શકો છો. બેંગાલુરુના અહમદ ખાને આ વાત સાચી કરી બતાવી છે. તે અત્યાર સુધી 2000 કિલોમીટર કરતા વધારે પ્લાસ્ટિકના રસ્તા બનાવી ચૂક્યા છે.

2002માં પ્લાસ્ટિકના કચરામાંથી બનેલી સડકોનો વિચાર તેમના મગજમાં આવ્યો હતો. આ રસ્તા દ્વારા દરેક પ્રકારના પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં પ્લાસ્ટિકની થેલીઓ, પેકિંગ સામગ્રી, તૂટેલી ડોલ અને પ્લાસ્ટિકના ચંપલો પણ સામેલ છે.

આ રસ્તા સામાન્ય રસ્તા કરતા ઘણા વધારે મજબૂત છે. અહમદનું કહેવું છે તે પ્લાસ્ટિક વાસ્તવમાં અત્યંત ટકાઉ હોય છે અને પાણી તેમજ ગરમીનો માર પણ તે સરળતાથી ઝીલી શકે છે. આ જ કારણે તેમાં રસ્તાના સમારકામનો ખર્ચો બચી શકે છે અને સરકારને ફાયદો થાય છે.

સરકારી આનાકાનીઃ બેંગાલુરુમાં કચરો ભેગો કરવા માટે એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. સ્કૂલો, એપાર્ટમેન્ટ્સ અને કચરો વીણવાવાળા પાસેથી આઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પ્લાસ્ટિકનો કચરો ખરીદવામાં આવે છે. તેનાથી સામાન્ય લોકોને કમાણી મળે છે અને પર્યાવરણનો બચાવ પણ થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !