નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત

 જીવનનું અટલ સત્ય છે મૃત્યુ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં મૃત્યુ સંબંધિત ઘણાં ઉપદેશો આપ્યા છે. મહાભારતનાં યુદ્ધમાં અર્જુને પોતાનાં સગાં – સંબંધીઓને જોઇને ધનુષ બાણ ત્યજી દીધાં. તે વખતે શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન અને મૃત્યુથી સંબંધિત ગીતાનું જ્ઞાન આપ્યું.

શ્રીકૃષ્ણએ જીવનનો સાર સમજાવતાં જ કહ્યું હતું કે જે વ્યક્તિએ આ ધરતી પર જન્મ લીધો છે તેનું એકનાં એક દિવસે મૃત્યુ તો નિશ્ચિત છે. માનવ શરીર નશ્વર છે અને એક દિવસ તો તે અવશ્ય નષ્ટ થશે.આત્માનાં સંબંધમાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આત્મા અમર છે અને તે નિશ્ચિત સમય માટે મનુષ્યનું શરીર ધારણ કરે છે. આ સમય પુરો થતાં આત્મા જાતે જ શરીર છોડી દે છે.શાસ્ત્રો અનુસાર જ્યારે મનુષ્યની મૃત્યુ થવાની હોય છે તેનાં અમુક દિવસો પહેલાં જ એવી સ્થિતિઓ સર્જાય છે કે જેનાથી અંદાજો લગાડી શકાય છે કે વ્યક્તિની મૃત્યુ ક્યારે થશે? આમ તો મૃત્યુનાં સંબંધમાં કોઇપણ પ્રકારની ભવિષ્યવાણી કરવી એ અસંભવ જેવું જ છે.જ્યોતિષ શાસ્ત્રમાં કોઇપણ વ્યક્તિનાં મૃત્યુનો સંભવિત દિવસ જાણી શકાય છે.તેના સિવાય અમુક અસામાન્ય ઘટનાઓ ઘટવા લાગે છે ત્યારે મૃત્યુનો સંકટ શરૂ થવા લાગે છે.શાસ્ત્રો અનુસાર જ્યારે કોઇપણ વ્યક્તિને પાણી, ઘી, તેલમાં પોતાનો પડછાયો દેખાવાનો બંધ થઇ જાય તો તે વ્યક્તિની આયુષ્ય લગભગ 7 દિવસ શેષ છે.મૃત્યુનો સમય નજીક આવતાં જ વ્યક્તિની આંખો નબળી થવા લાગે છે અને તેને બરાબર રીતે દેખાવાનું બંધ થઇ જાય છે. પરંતુ અકાળ મૃત્યુનાં સંબંધમાં આ વાત લાગુ પડતી નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !