નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘટ્યો, સતત વધતો મોંઘવારી દર, આમ આદમી માટે ખુશખબર

 
ખાવા પીવાની વસ્તુઓનો મોંઘવારી દર સતત બીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. 16 જુલાઈના રોજ પુરા થયેલા સપ્તાહમાં આ એક સપ્તાહ પહેલાની 7.58 ટકાની સરખામણીએ 0.25ટકા ઘટીને 7.33 ટકા રહી ગયો છે.

સરકાર તરફથી આજે જાહેર કરાયેલા મોંધવારીના આંકડાઓ પ્રમાણે 16 જુલાઈના રોજ પુરા થયેલા સપ્તાહમાં વાર્ષિક મોંઘવારી દર પણ 9 જુલાઈના 11.13 ટકાની સરખામણીએ ઘટીને 10.49 ટકા રહીં ગયો.

જોકે આ દરમિયાન ઈંધણ મૂલ્ય સૂચકાંક પહેલાની 11.89 ટકાની સરખામણીએ વધીને 12.12 ટકાએ પહોંચી ગયો.

થોક મૂલ્ય સૂચકાંકમાં 20.12 ટકાનો ભારાંક રાખનારી પ્રાથમિક વસ્તુઓનો સૂચકાંક 0.2 ટકા વધીને 20.12 ટકા થઈ ગયો.

ખાદ્ય વસ્તુઓના સમૂહનો સૂચકાંક માછલ અને ફળ તેમજ શાકભાદીની કિંમતોમાં બે-બે ટકા, બાજરો, ચણા, મસાલા, ચોખા, અને ચા પ્રત્યેક એક-એક ટકા મોંધા થવાથી 0.8ટકા વધી ગયા. આ દરમિયા સૂચકાંકની ગણતરીમાં શામેલ વસ્તુઓમાં આ દરમિયાન જ્વાર ચાર ટકા, ચિકન બે ટકા, મસૂર, અડદ, અને ઈંડા પ્રત્યેક એક-એક ટકા મોંઘી થવા પામી છે.

અખાદ્ય વસ્તુઓનો સૂચકાંક 0.3 ટકા સુધી વધી ગયો. સુચકાંકમાં વધારો ફુલોની કિંમતોમાં 16 ટકા, મગફળીમાં 10 ટકા, ગવારમાં 3, સરસો અને એરંડામાં એક-એક ટકા મોંધા નોંધાયા છે. જોકે આ દરમિયાન કપાસ છ ટકા, કાચુ રેશમ ત્રણ ટકા, નારિયળ અને કાચુ રબ્બર 2-2 ટકા, તલ, પશુચારો અને અળસીની કિંમતોમાં 1-1 ટકાનો વધારો આવ્યો.

ખનિજ સમૂહનો સુચકાંક જિંકમાં 33 બ્રાઇટ્સ અને ચૂના પત્થરમાં 12.12 ટકા, લોખંડ માં 10, સ્ટેટાઇટમાં આઠ અને ક્રોમાઇટમાં 2 ટકાની મંદી આવવાથી 3.7 ટકા નીચે ગયા છે. જોકે બોક્સાઇટમાં 11 ટકા અને સિલ્લીમાનાઇટ પાંચ ટકા મોંઘા થયા છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!