નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતમાં ફોર્ડનું આગમન 7000 પરિવારોને તારશે

Share  |  
 
 
- ફોર્ડની યોજના 2014 સુધીમાં સાણંદમાં બે નવી ફેકટરીઓ ખોલવાની છે
- ફોર્ડ ગુજરાતમાં 5000 લોકોની સીધી રોજગારી અને 2000 લોકોને પ્રત્યક્ષ રોજગારી આપશે
- તેની વાર્ષિક કાર ઉત્પાદક ક્ષમતા 4 લાખ કારોની છે
- અહીં તૈયાર થનાર કારોમાંથી 25 ટકા કારોની વિદેશમાં નિકાસ કરાશે
- તેમજ ફોર્ડની અહીં કારની સાથો સાથ વાર્ષિક 270000 એન્જિન બનાવાની પણ યોજના છે


અમેરિકાની જાયન્ટ ફોર્ડ મોટર કંપની દેશમાં તેનો બીજો પ્લાન્ટ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થાપશે. કંપની ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આજે કંપનીના પદાધિકારીઓ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમણે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યો. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલાન આર.મુલાલીએ કહ્યું હતું કે અમે ગુજરાતમાં લાંબાગાળું રોકાણ કરવા માંગીએ છીએ. અમે ગુજરાતને એટલા મટે પસંદ કર્યું કે ત્યાં વેપારનું વાતાવરણ ઘણું સારું છે અને પોર્ટની સારામાં સારી સુવિધા છે. આથી કંપની દેશભરમાં અહીંથી સરળતાથી નિકાસ કરી શકે. તેમજ દક્ષિણના દેશોમાં પણ અહીંથી કારોની નિકાસ કરવામાં સરળતા રહે.

ફોર્ડની યોજના 2014 સુધીમાં સાણંદમાં બે નવી ફેકટરીઓ ખોલવાની છે. ફોર્ડ ગુજરાતમાં 5000 લોકોની સીધી રોજગારી અને 2000 લોકોને પ્રત્યક્ષ રોજગારી આપશે. તેની વાર્ષિક કાર ઉત્પાદક ક્ષમતા 4 લાખ કારોની છે અને અહીં તૈયાર થનાર કારોમાંથી 25 ટકા કારોની વિદેશમાં નિકાસ કરાશે. તેમજ ફોર્ડની અહીં કારની સાથો સાથ વાર્ષિક 270000 એન્જિન બનાવાની પણ યોજના છે.

ભારતમાં અન્ય કાર માર્કેટમાં ફોર્ડનો હિસ્સો નજીવો છે. ભારતની પેસેન્જર કારના વેચાણમાં ફોર્ડનો 3 ટકા હિસ્સો છે. જ્યારે તેનો બ્રાઝિલમાં 10 ટકા હિસ્સો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !