નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમ શક્તિ છે, તેને તમારી નબળાઈ ક્યારેય બનવા ન દો

આપણી નબળાઈ આપણને માત્ર નુકશાની નથી પહોંચાડતી પણ પતન પણ કરાવે છે. શ્રી રામના પિતા રાજા દશરથની નબળાઈ રાણી કૈકેઈ હતી. રાજા દશરથે કોપ ભવનમાં બેઠેલી રાનીને મનાવવા માટે એવા વચન કીધેલા હતા- પ્રિયા પ્રાણ સુત સરબસુ મોરે. પરિજન પ્રજા સફલ બસ તોરે. એટલે કે હે પ્રિય, મારી પ્રજા, કુટુંબી, બધી સંપતિ, પુત્ર અને મારા પ્રાણ આ બધુ તારી આધીન છે. તું જે ઈચ્છે માંગી લે પણ ગુસ્સો છોડ, પ્રસન્ન થઈ જા. આ રાજાની નબળાઈ હતી. કૈકેઈની નબળાઈ તેની દાસી મંથરા હતી જે સ્વાભવાથી જ લાલ હતી. તે દુર્બુદ્ધિ, નીચ જાતિવાળી દાસી વિચાર કરવા લાગી કે કેવા પ્રકારે આ કામ રાતોરાત બગાડવામાં આવે. શ્રી રામના રાજતિલક પહેલા કૈકેઈએ મંથરાની વાત સાંભળી, તેનાં સકંજામાં આવી ગઈ અને દશરથને ભરત માટે રાજતિલક તથા શ્રીરામ માટે વનવાસ માંગી લીધો. પોતાની નબળાઈના વશમાં આવીને કૈકેઈએ રામરાજ્યનો નિર્ણય બદલી દીધો અને દાસીનું સમ્માન કરતા કહ્યું કે- જો મારું આ કામ થાય છે, હું તને આંખોની પુતળી બનાવી લઈશ. માણસ પોતાની જ નબળાઈથી ખોટો નિર્ણય લે છે અને આ નબળાઈને પૂજવા લાગે છે.

શ્રી રામચરિતમાનસમા એક પ્રસંગ આવે છે કે, જ્યારે શ્રીરામ વનવાસ ચાલ્યા ગયા, દશરથનું નિધન થઈ ગયું અને ભરત તથા શત્રુજ્ઞ તેના નનિહાલમાંથી પાછા આવ્યા ત્યારે મંથરાએ શત્રુજ્ઞએ પ્રહાર કર્યો હતો. તેણે જોરથી એક લાત મારી અને તેણી જમીન પર પડી ગઈ. આમા પ્રતિકની વાત એ છુપાયેલી છે કે જે નબળાઈ પાર પ્રહાર કરે છે તે શત્રુજ્ઞ કહેવાય છે અને આપણે આપણા શત્રુનો નાશ આવી રીતે કરવો જોઇએ. લોભ આપણો સૌથી મોટો શત્રુ છે, નબળાઈ છે આને જવા ન દેવી જોઇએ. નહીતર જે લોકો નબળાઈમાંથી પડી જાય છે તેને એક દિવસ નબળાઈ પછાડી દે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !