નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રમોશન...તો આ રીતે જ મળી શકે!!

ઘણીવાર એવું બને છે કે આપણે મન લગાવીને ઇમાનદારીથી પોતાનું કામ કરીએ છીએ તેમ છતાં પણ આપણે પ્રગતિ નથી કરી શકતા. જ્યારે જે વ્યક્તિ અનેક મામલાઓમાં જાણકાર નથી તેની પ્રગતિ ઝડપથી થઈ જાય છે. એવી સ્થિતિમાં આપણે પોતાની જાતને છેતરાયાની લાગણી અનુભવીએ છીએ અને પોતાના માલિક પ્રત્યે નફરત ભરી નજરથી જોઈએ છીએ.

આવો એક સુંદર કથાને જાણીએ જે કામ અને પ્રગતિની વચ્ચેના સંબંધોને ઊંડાણથી પરદો ઊઠાવે છે...

એક ગામમાં હરિયા નામનો એક કઠિયારો રહેતો હતો. તે પોતાના માલિક માટે રોજ જંગલમાંથી લાકડાં કારી લાવતો હતો. આ કામ કરતા કરતા તેને પાંચ વર્ષ વીતી ચૂક્યા હતા પરંતુ માલિકે ન તો તેની કોઈ પ્રશંસા કરી ન તો તેનો પગાર વધાર્યો. થોડા દિવસો પછી માલિકે જંગલમાંથી લાકડાં લાવવા માટે બુધીયા નામના એક બીજા કઠિયારાએ રાખી લીધો. બુધીયો પોતાના કામમાં ખૂબ જ હોશિયાર હતો. તે હરિયા કરતા વધુ લાકડાં કાપી લાવતો હતો. એક વર્ષની અંદર જ માલિકે તેનું વેતન-પગાર વધારી દીધું. આ જોઈ હરિયો ખૂબ જ દુઃખી થઈ ગયો અને માલિક પાસે જઈ તેનું કારણ પૂછ્યું.

માલિકે કહ્યું કે, પાંચ વર્ષ પહેલા તું જેટલા લાકડાં કાપી લાવતો હતો એટલા જ આજે કાપી લાવે છે. તારા કામમાં કોઈ જ ફરક આવ્યો નથી. જ્યારે બુધીયો તો તારા કરતા વધારે લાકડાં કાપીને લાવે છે. જો તુ પણ કાલથી વધુ લાકડાં કાપીને લાવીશ તો તારું વેતન-પગાર પણ વધી જશે. હરિયાએ વિચાર્યું કે બુધીયો પણ એટલુ જ કામ કરતો હતો જેટલો સમય હું કામ કરતો હતો. તેમ છતાં તે વધારે લાકડાં કેવી રીતે કાપી લે છે. આમ વિચારી તે બુધીયા પાસે ગયો અને તેનું કારણ પૂછ્યું. બુધીયોએ કહ્યું કે, તે જે વૃક્ષ કાપવાનું હોય તેની પસંદગી એક દિવસ પહેલાં જ કરી લે છે જેથી બીજા દિવસે ઝાડ શોધવા સમય ન બગડે. તે સિવાય રોજ કૂહાડીમાં ધાર પણ કાઢી લે છે. જેનાથી લાકડાં ઝડપી કપાઈ જાય છે એટલે ઓછા સમયમાં વધુ કામ થઈ જાય છે.

ત્યારે જ હરિયાએ વિચાર્યું કે હું પણ એમ કરી શક્યો હોત. બસ, તે દિવસથી જ હરિયો પણ પ્રગતિ કરવા કામે લાગી ગયો અને તેને ઝડપી પગાર વધારો મેળવી લીધો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!