નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

 
 
એલસીડીના ટીવી સેટ ખાસ્સા લોકપ્રિય થતા જઈ રહ્યાં છે પરંતુ એક બાજુ સમસ્યા એ પણ સર્જાઈ એ છે કે એ ખાસ્સા મોંઘા પણ છે, અને લોકો ઇચ્છે તેમ છતા તેને ખરીદી નથી શકતા. બજારમાં કેટલીય કંપનિઓ તેને બનાવી રહીં છે અને વેચી રહીં છે. પરંતુ હવે ગ્રાહકો માટે આ સારા સામાચાર આવી ગયા છે, જ્યારે એલસીડી ટીવી માત્ર R 10,000માં વસાવી શકો છો.

ઇલેક્ટ્રોનિક સાધનો બનાવનારી જાપાની કંપની તોશિબાએ હવે એક ખાસ્સુ સસ્તુ એલસીડી ટીવી પ્રસ્તુત કર્યું છે. આ 32 ઇંચના એલસીડી ટીવીની કિંમત માત્ર 20,999 રૂપિયા છે, અને આ ટીવી ટૂંક સમયમાં તમામ બજારોમાં મળશે. આટલુ જ નહીં કંપનીએ 19 ઇન્ચનું એલસીડી ટીવી માત્ર R 10,000માં પ્રસ્તુત કર્યું છે. આ કિંમત બજારમાં મળી રહેલી બીજી કંપનીઓના એલસીડી ટીવી કરતા લગભગ એક ત્રત્યાંસ જેટલી ઓછી છે.

તોશિબાને આશા છે કે આ સસ્તા ઑફર પછી લોકો પોતાના જુના ટીવી સેટ્સને આ નવા અને સસ્તા એલસીડી ટીવીથી બદલી લેશે. પરંતુ તેનાથી પણ મોટી વાત એ છે કે આ ટીવી આવવાથી બજારમાં જબરદસ્ત સ્પર્ધા ઊભી થશે અને અન્ય એલસીડી ટીવીના ભાવ પણ ઘટશે. અકાઇ કંપનીએ પણ થોડા સમય અગાઉ જાહેરાત કરી રાખી છે કે તે પણ બજારમાં પોતાનુ સસ્તુ એલસીડી ઉતારવાની તૈયારીમાં છે.

Comments

Popular posts from this blog

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!