નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્યવસાય સફળ કરવા બજારનો સર્વે જરૂરી

૧૯૨૨ના વર્ષમાં આઇઆઇટીના એક વિદ્યાર્થીએ એક એવી વ્હીલ રિંગ બનાવી કે જેના પર ગેસનું સીલન્ડિર રહી શકે, તેના પર એક થર્મોમીટર જેવુ યંત્ર હતું કે જેનાથી એ જાણી શકાતું હતું કે હવે ગેસના સીલન્ડિરમાં કેટલો ગેસ વધશે,ધીમે ધીમે તેની ચર્ચાએ જોર પકડ્યું અને લોકોમાં તેના વિશે જાણવાની ઇચ્છા વધી. તે દરમિયાન વિદ્યાર્થીએ જોયું કે તેણે એ સાધનની ઊંચાઇ ૫ ઇંચ રાખી હતી કે જેનાથી તેના પર ગેસનું સીલન્ડિર મુકાયા પછી તે રસોડાના પ્લેટફોર્મમાં આવી શકતું ન હતું. તેથી આ પ્રયોગ સદંતર નિષ્ફળ રહ્યો અને આમ થવાનું મુખ્ય કારણ એ હતું કે આ પ્રયોગને ખુલ્લા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો કે જેને ખરેખર તો પ્લેટફોર્મની નીચે કરવાની જરૂર હતી. 

આ સિવાય આ પ્રયોગનો સર્વે ઉપકરણને ગૃહિણીઓના રસોડામાં લઈ જવાને બદલે તેમને ફેકટરીમાં બોલાવીને કરવામાં આવ્યો હતો. તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે પક્ષીઓ પણ તેનો માળો બનાવતા પહેલાં માળો બાંધવાની જગ્યાનો સર્વે કરે છે. એશિયાઇ પક્ષીઓનું એક જુથ જૂન મહિનામાં અમદાવાદ શહેરના કાંકરિયા તળાવની આજુબાજુનાં વિસ્તારોનો સર્વે કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રાણીસંગ્રહાલયમાં દર વર્ષે સ્પૂનબિલ, વ્હાઇટ આઇબિસ, લિટલ ક‹મોરેટ, નાઇટ હેરોન તેમજ કૈસલ ઇગ્રેટ્સ સહિતનાં ૨૦૦૦થી પણ વધુ પક્ષીઓ તેમનો માળો બનાવે છે. 

પહેલાં ૧૦-૧૫ પક્ષીઓનો સમૂહ વિસ્તારમાં દાણા-પાણી કેટલા પ્રમાણમાં છે તેનો સર્વે કરે છે. તે ચકાસ્યા પછી અને તેના વિશે સંતુષ્ટ થયા પછી જુથ પાછું જાય છે અને પક્ષીઓના વિશાળ જુથ સાથે પાછું ફરે છે. પક્ષીઓ એ નથી વિચારતા કે ગયા વર્ષે બનાવેલા માળા તેમની રાહ જોતા હશે અથવા તેને ત્યાં પૂરતા પ્રમાણમાં દાણા-પાણી મળી રહેશે. જો આ પક્ષીઓ દર વર્ષે નિષ્ઠા સાથે સર્વે કરી શકતા હોય તો માણસોને પણ આવું કરતા કોણ રોકે છે?

ફંડા એ છે કે, જો તમે દરેક વર્ષે કોઇ ધંધાને લગતી ગતિવિધિનું પુનરાવર્તન કરવા માગતા હોવ તો દર વર્ષે નિયમિત રીતે બજારનો સર્વે કરવો જરૂરી છે. આમ ન કરવાથી નિષ્ફળતાની શક્યતા વધી જાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!