નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચટાકેદાર દાળવડાની મજા

ભીની ભીની મોસમમાં માણો, ચટાકેદાર દાળવડાની મજા
મસ્ત મઝાની ભીની ભીની મોસમમાં બનાવો ચટાકેદાર દાડવડા

સામગ્રી

500 ગ્રામ મગની દાળ 
50 ગ્રામ આદુ 
15-20 કળી લસણ (એક ગાઠિયો) 
10-12 લીલા મરચા 
50 ગ્રામ કોથમીર 
સાજીના ફૂલ ચપટી 
મીઠું સ્વાદઅનુસાર 
તળવા માટે તેલ


રીત -મગની દાળને ધોઈને 8 કલાક પાણીમાં પલાળી રાખો -તેને મિક્સચરમાં અધકચરી ક્રશ કરી લ્યો -આદુ મરચાની પેસ્ટ તૈયાર કરો, તે પેસ્ટ ક્રશ કરેલી મગની દાળમાં ઉમેરો -આ મિશ્રણમાં 1 ટેબલ સ્પૂન તેલ અને ચપટી સાજીના ફૂલ અને કોથમીર ઉમેરો -સ્વાદઅનુસાર મીઠું ઉમેરી લ્યો હવે ખીરુ તૈયાર છે -હવે એક કડાઈમાં તેલ ગરમ કરવાં મુકો -તેલ આવી જાય એટલે તેમાં દાળવડા ડિપ ફ્રાય કરો -ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો -હવે તેને સમારેલી ડુંગળી અને તળેલા મરચા સાથે ગરમ ગરમ સર્વ કરો



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!