નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે


- અમદાવાદમાં પોતાના સંશોઘન માટે ઈરાન,જર્મની અને સ્વિત્ઝરલેન્ડથી આવેલા ત્રણ મહિલા સંશોઘકો ભારતીયોને વિશ્વના સૌથી વઘુ ક્રિએટિવ લોકો તરીકે ઓળખાવે છે.
ઈન્ડિયન કલ્ચરનો ઇનોવેટીવ અભ્યાસ કરવા ઇરાન, સ્વીઝરલેન્ડ અને જર્મનીથી સહર આશમી, કેરોલીન અને મારીયાના સૃષ્ટિ ફાઉન્ડેશનમાં રિસર્ચ માટે આવી છે. ભારતની છાપ વિશ્વફલક પર વિકસીત રાષ્ટ્રની છે. ભારત પાણીથી માંડી બેઝિક જરૂરીયાત અને ઇન્ફ્રસ્ટ્રક્ચર જેવી સમસ્યાઓથી પીડાય છે. પરંતુ આ બધાની વચ્ચે ઇન્ડિયન્સ ઘણાં ક્રિએટીવ અને નવા નવા સંશોધન કરનારા છે. ભારતની પોતાની સમસ્યાઓ તેને વઘુ ઇનોવેટીવ બનાવ્યો છે. તેવું અહીં રિસર્ચ માટે આવેલી આ ત્રણ સ્ટુડન્ટસ જણાવે છે.
મારીયાના જર્મનીમાં લ્યુફેના યુનિવર્સિટીમાંથી પીએચ.ડીનો અભ્યાસ કરી રહી છે અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિનાથી ઓપન સોર્સ ઓફ ઇનોવેશન પર રિસર્ચ કરી રહી છે. મારીયાના કહે છે કે ‘ઇન્ડિયામાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે એટલે માટે અહીં સૌથી વઘુ ઇનોવેશન થાય છે. ઇન્ડિયા અને જર્મનીના ગામડાઓ વચ્ચે ઘણો તફાવત છે. જર્મનીના શહેરોમાં જે ફેસલિટી લોકોને મળી રહે છે તે જ ગામડાઓના લોકોને મળી રહે છે એટલાં માટે જર્મનીમાં ગ્રાસરૂટ ઇનોવેશનનો અભાવ જોવા મળે છે. જ્યારે ઇન્ડિયન્સ પોતાની જરૂરીયાત અનુરૂપ નવા ઇનોવેશન કર્યાં છે. આમ જર્મની અને ઇન્ડિયાની ઇનોવેટીવ ટેકનોલોજી અંગે એકબીજા દેશ વચ્ચે આપ લે થાય તે જરૂરી છે.’
યુએસથી અભ્યાસ કરતી કેરોલીન મૂળ સ્વીઝરલેન્ડની વતની છે. તે એન્વાયરમેન્ટ સાયન્સમાં માસ્ટરનો અભ્યાસ કરી રહી છે. ટેકનોલોજીના અભાવ વચ્ચે કામ કરી રહેલી કેરોલીન જણાવે છે કે ઇન્ડિયા પાસે જગ્યા અને ટેકનોલોજીનો અભાવ છે પરંતુ લોકોનું એડઝસમેન્ટ તેમને જોડી રાખે છે. કેરોલીન શોધયાત્રા દરમ્યાન ઇન્ડિયાના આઠથી દસ રાજ્યોની જમીનના સેમ્પલ પર અઘ્યયન કરી રહી છે. ઇન્ડિયાના ૠતુચક્રમાં વિવિધતા છે તેમ તેની જમીનમાં પણ વિવિધ જોવા મળે છે. આ અંગે કેરોલીન કહે છે કે ‘ફોરેનમાં ઠંડીની મોસમ જ લાંબો સમય સુધી રહે છે, રિચ કન્ટ્રી પાસે અઘ્યતન ટેકનોલોજી છે પરંતુ ત્યાંની જમીનમાં ઇન્ડિયા જેટલી વિવિધતા નથી. ઇન્ડિયાની અનટચ જમીનના સુક્ષ્મજીવો પર અભ્યાસ કરું છું. આ વિવિધ જમીનના બેકેટેરિયા આપણને ઘણાં કામ લાગી શકે છે.’
સહર આશમી મૂળ ઇરાનની વતની છે પરંતુ હાલ યુએસની એમ.આઇ.ટી.માંથી બ્રેઇન એન્ડ કન્ઝીટીવ સાયન્સમાં માસ્ટરનો અભ્યાસ કરે છે. છેલ્લા એક વીકથી તે ઇન્ડિયન એજ્યુકેશન પર પ્રો.વિજય શેરીચંદના અન્ડર હેઠળ અભ્યાસ કરી રહ્યાં છે. આઇઆઇએમ-એના પ્રો.વિજય શેરીચંદે પ્રાથમિક શિક્ષકોએ આપમેળે વિકસાવેલ શૈક્ષણિક ઇનોવેટીવ આઇડીયા અને પ્રયોગો પર કામ કર્યું છે. આવા શિક્ષકોના ઇનોવેટીવ આઇડીયા પર સહર આશમી વિગતે સંશોધન કરી રહી છે. ઇન્ડિયન એજ્યુકેશન પાસે વિશ્વની રિચ કન્ટ્રી જેવી મોર્ડન એજ્યુકેશન સિસ્ટમ નથી પરંતુ અહીંના શિક્ષકોએ પોતાના સ્ટુડન્ટસને ભણાવવા માટે નવા ઇનોવેટીવ આઇડીયા અને શિક્ષણમાં પ્રયોગ કર્યાં છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!