નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બદામની અનોખી ખૂબીઓ, જાણી જશો તો કહેશો વસ્તુ છે કમાલની!

બદામ ખૂબ જ પૌષ્ટિક હોય છે. મોટાભાગના લોકો બદામ માત્ર તેજ મગજ બનાવવા માટે ખાય છે. પરંતુ બદામ તે સિવાય પણ અનેક અનોખી ખૂબીઓ છે જેને ખૂબ ઓછા લોકો જાણે છે, આવો જાણીએ બદામના આવા જ કેટલાક ગુણો વિશે...


-કેન્સરથી બચવા માટેઃ- ફાઈબરના સારા સ્ત્રોત હોવાને લીધે બદામ પાચનમાં મદદ કરે છે અને આ કોલનના કેન્સરથી શરીરની સુરક્ષા કરે છે.


-કેલ્શિયમ માટેઃ- જો તમને કેલ્શિયમની ખામી હોય તો બદામ ખાઓ. બદામ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તે ઓસ્ટિયોપોરોસિસના ખતરાને ઓછો કરે છે. બદામમાં જોવા મળતુ કેલ્શિયમ હાડકાં અને દાંત માટે પણ સારું હોય છે.


-શરીરને શક્તિશાળી બનાવવામાં- બદામમાં મોજુદ પોષક તત્વો જેવા કે પ્રોટીન, મેગઝિન, કોપર, રાઈબોફ્લેવિન શરીરને મજબૂત બનાવે છે. તેનાથી શરીરને તાકાત મળે છે.


-દિલની બીમારીઓમાં- દિલના રોગીઓ માટે બદામ ખૂબ ફાયદાકારક હોય છે કારણ કે તે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. આને લીધે હૃદયની નળીઓમાં અડચણ ઓછી આવે છે અને તેના પ્રયોગથી દિલનો હુમનો આવવાની શક્યતા ઘટી જાય છે.


-વીક મેમરીઃ- બદામમાં મોજુદ પોષક તત્વ યાદદાસ્ત વધારવા માટે પણ સારા હોય છે. આયુર્વેદ પ્રમાણે દરરોજ સવારે 5 બદામને ભીંજવીને ખાવાથી યાદદાસ્ત મજબૂત થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!