નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘરે બનાવો ચટપટી હાઇજેનિક 'પાણીપૂરી'


પાણીપૂરી એ નાના મોટા સૌને ભાવતી વસ્તુ છે. આવામાં જો બહાર લારી પર મળતી પાણીપૂરી ખાશો તો સ્વાસ્થ્યને ખતરો પેદા થઈ શકે છે. સમાચારોમાં પણ તમે વાંચ્યુ જ હશે કે પાણીપૂરી વાળા ભૈયા પાણીપૂરી બનાવતી વખતે કે વેચતી વખતે જરાય પણ સ્વચ્છતા નથી રાખતા.

જો તમે પણ પાણીપૂરીના શોખીન હોવ તો ઘરે જ બનાવો ચટપટી પાણીપૂરી


સામગ્રી:

પૂરી માટે:

1 કપ રવો/સુજી
3 ટેબલસ્પૂન ઝીણો મેંદો
1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
તળવા માટે તેલ

પાણી માટે:

1 કપ લીલા ધાણા
1 કપ ફૂદીનો ઝીણો સમારેલો
3 લીલા મરચાં
1 ટેબલસ્પૂન સંચળ
2 લીંબુ
1 ટેબલસ્પૂન મીઠું
જરૂર પ્રમાણે પાણી
(તમે ઈચ્છો તો પાણીમાં ખારી બુંદી પણ ભેળવી શકો છો)


મસાલા માટે:

3 બાફેલા બટાટા
1 કપ બાફેલા ચણા
3 લીલા મરચાં પીસેલા
2 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન સંચળ (તમે ઈચ્છો તો મસાલામાં તમે બાફેલા મગ અને ડુંગળી પણ લઈ શકો છો)















































રીત: પૂરી: - મેંદો અને રવો મિક્સ કરો. તેમાં બેકિંગ સોડા ઉમેરીને નરમ કણક બાંધો. - કણકમાંથી નાની અને પાતળી પૂરીઓ વણો અને તેલમાં તળી લો.


પાણી: - લીલા મરચાં, લીલા ધાણા, ફૂદિનો, મીઠું અને સંચળ મિક્સ કરીને પીસી લો. તેમાં જરૂર અનુસાર લીંબુનો રસ ભેળવો. - આ મિશ્રણમાં પાણી મિક્સ કરીને બાજુ પર મૂકી દો જેથી તેમાં ફૂદિનાનો સ્વાદ બેસી જાય.


મસાલો: - બાફેલા બટાટાને સ્મેસ કરી લો. - તેમાં બાફેલા ચણા મિક્સ કરો. તેમાં બાકીની સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.


પૂરીમાં બટાટા-ચણાનો મસાલો ભરીને ફૂદિના પાણી સાથે સ્વાદ માણો. અન્ય ફ્લેવરના પાણી સાથે પણ તમે પાણીપૂરી ખાઈ શકો જેમ કે લસણ, જીરુ, આંબલી,ટમેટા,આદુ વગેરે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!