નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કબજિયાતને જડમૂળથી મટાડવા અક્સીર છે આ ચાર ટિપ્સ

જો શરીર તંદુરસ્ત અને નીરોગી રહેશે તો જ આપણુ મન અને મગજ પુરી રીતે સક્રિય અને સતેજ બનશે.
શરીરની તંદુરસ્તી જાળવવામાટે સૌથી મોટી સમસ્યા છે કબજિયાત સામે બાયો ચઢાવવી ખૂબ જ જરૂરી છે. જો આ સમસ્યાને ભગાવવાના ઘરગથ્થુ ઉપાય જાણવા મળી જાય તો પછી વાત જ ક્યાં રહીં.

તો આ રહ્યાં કેટલાંક ખાસ ઘરગથ્થુ ઉપાય જે તમારા પેટની બધી જ સમસ્યા દૂર કરશે.

1..કસમયે ખાન-પાનની ટેવને કારણે વ્યક્તિ વારંવાર કબજિયાતથી પીડાય છે,આનાથી બચવા માટે રોજ રાતે સુતા સમયે પાણી સાથે ત્રિફળા ( હરડે,બરડ અને આમળાનું મિશ્રણ)લેવું જોઇએ. -આ પ્રયોગ 6 મહિના સુધી સતત કરવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

2. જો બાળક હોય તો આમળાને વાટીને તેને નાભિ પર ચારે તરફ લગાવી તેને દિવાલ બનાવી લો તેની અંદર આદુનો રસ ભરી દેવો, -બે કલાક સુધી પીડિત વ્યક્તિને આરામની સ્થિતિમાં રહેવા દો. વગર જુલાબ અને કોઇ હાનિકારક દવાઓ વગર મહિનાઓ અને વર્ષો જુનો મળ સાફ થઇ જાય છે.

3. સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં એક ચપટી સંચળ નાખો અને તેને પીને 15 મિનિટ આંટા મારો,ચોક્કસ કબજિયાતમાં રાહત મળશે.

4.તમારા ભોજનમાં સંચળ,અડધું લીબુ,શેકેલું જીરૂ,હીંગ અને સિઝન અનુસાર મળતા સલાડનો સમાવેશ કરો તેનાથી પેટ અને કબજિયાતને લગતી દરેક સમસ્યાઓથી સ્થાયી રૂપે છુટકારો મળશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!