નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફ્લોરસન્ટ બલ્બ આંખ માટે નુકસાનકારક

 
 
ફ્લોરસન્ટ લાઈટને બદલે પરંપરાગત સફેદ ટ્યૂબલાઈટનો ઉપયોગ ઓછો નુકસાનકારક છે.

ઊર્જા બચાવતી ફ્લોરસન્ટ લાઈટ આંખો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ થયેલા આ સંશોધનમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને સંતુલનમાં રાખવા નિયમિત લાઈટને બદલે ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી આંખના રોગો વધી શકે છે.

અમેરિકન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર ફ્લોરસન્ટ લાઈટને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવા યુવી સંલગ્ન આંખના રોગોમાં ૧૨ ટકાનો વધારો થઈ શકે છે. મુખ્ય સંશોધક ડૉ. હેલન વોલ્સે જણાવ્યું કે, કાર્બન ઘટાડવાના પ્રયાસોને પગલે ઊર્જાની વધુ બચત કરી શકે તેવી લાઈટિંગની શોધ કરવામાં આવી હતી. આખી દુનિયામાં અનેક લોકો ઘરે તેમજ કામના સ્થળે કૃત્રિમ લાઈટમાં કામ કરતા હોય છે. હજુ હમણાં સુધી આ માટે પરંપરાગત લાઈટનો ઉપયોગ થતો હતો.

પરંતુ ફ્લોરસન્ટ લાઈટનો ઉપયોગ શરૂ થવાથી લોકો હવે વધુ પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન હેઠળ આવી જાય છે. શહેરીકરણ અને કામનાં ભારણને પગલે પ્રજાને વધુને વધુ સમય આવી લાઈટ નીચે રહેવાનું બને છે. અલબત્ત ૫૦૦ નેનોમીટર જેટલું અંતર જળવાય તો અલ્ટ્રાવાયોલેટની સંભવિત અસરોથી બચી શકાય, તેમ તેમણે ઉમેર્યુંં હતું.

ઊર્જા બચાવતી લાઈટ કેટલી જોખમી?

અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવી આંખોની તકલીફ થઈ શકે છે. આ સંજોગોમાં ફ્લોરસન્ટ લાઈટનાં યુવી કિરણોથી બચવું જરૂરી છે. પરંપરાગત લાઈટના સ્થાને ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો થશે, પરંતુ આવી તબદિલીથી આંખોના રોગોમાં વધારો થઈ શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !