નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

29 વર્ષથી રાતના અંધારામાં તે લંડનમાં અજવાળા પાથરે છે!

આખુ શહેર સૂઈ જાય ત્યારે તે ચૂપચાપ પોતાનું કામ કરે છે

લંડનના માર્ટિન કાઉલફિલ્ડને જોઈને લાગે છે કે તે વિક્ટોરિયા કાળના કર્મચારી છે. સેન્ટ્રલ લંડનની જૂની ઈમારતો પર લાગેલી ગેસ લાઇટ્સને પ્રકાશિત કરવાનું તેમનું કામ છે. રાતના અંધારામાં જ્યારે આખુ શહેર સૂઈ જાય છે, ત્યારે માર્ટિન ચૂપચાપ પોતાનું કામ કરે છે. અહીંયા હવે એવી માત્ર 1600 લાઇટ્સ બચેલી છે.

લંડનના હાર્ટ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લાઇટો લગાવવામાં આવેલી છે. 69 વર્ષીય બ્રિટિશ ગેસ એન્જીનીયર માર્ટિન 1982થી તેને પ્રકાશિત કરવામાં આવી રહી છે. વિસ્તારના પાલ મોલમાં સૌથી પહેલી આવી ગેસ લાઇટ્સ 1807માં લગાવવામાં આવી હતી. 2007માં તેના 200 વર્ષ પૂરા થવા પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં માર્ટિન જેવા ગુમનામ નાયકોના સમર્પણને યાદ કરવામાં આવ્યુ હતું.
 
 
 
 
 
 
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !