નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તુલસીવિવાહ-દેવદિવાળીનું સાચું મહત્વ

 
 
પ્રબોધિની એકાદશીને ગામડાના લોકો દેવઊઠી અગિયારશ કહે છે અને માને છે કે આ દિવસે ઉપવાસ કરનારનાં તમામ પાપનો નાશ થાય છે. તાત્પર્ય કે તંદુરસ્તીનો પાયો નખાય છે.

હિન્દુઓને જાણે ગણેશચોથ, નવરાત્રિ, ધનતેરસ, દિવાળી એ બધા ઉત્સવથી ધરવ થતો નથી. પછી ભાઈબીજ આવે છે. તે તિથિએ પણ બહેનો ધર્મભાવનાથી ભાઈનું લાંબુ આયુષ્ય ભગવાન પાસે માગે છે. એ ભાઈબીજ ચાલી ગઈ આજે પણ અમારા સૌરાષ્ટ્રવાસીઓના સ્મરણમાં કવિ દામોદર બોટાદકરનું બહેને ગાયેલું ભાઈ માટેનું ગીત હૈયે છે. ‘આવી આવી વગડા વીંધી વેલ્ય જો, ઘૂઘરીએ ધમધમતા આવ્યા ઘોડલા, આજ ફળી અંતરની એકલ આશ જો, મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં, વસમી લાગે ભવની લાંબી વાટ જો, મહિયરે મારગડે શીળી છાંયડી.’ એવા પિયરના વિરહના દિવસો વીતી ગયા છે. સેલફોનથી ભાઈની બહેન સેલફોન ધરાવતી માને કે ભાઈને દિવસમાં હવે અનેક વખત ફોન કરે છે તોય ધરાતી નથી. આ ભાઈબીજ પછી હવે કારતક સુદ ૧૧ આવશે.

એક દિવાળીથી આપણને સંતોષ નથી એટલે એ કારતક સુદ ૧૧ને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ કે દેવઊઠી એકાદશી કહીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં આ દિવસે દેવદિવાળી ઉજવાય છે, જ્યારે ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે દેવદિવાળી ઉજવાય છે. ખાસ તો આ કારતકી અગિયારશ એ તુલસીવિવાહનો સ્ત્રીઓ માટેનો ખાસ ઉત્સવ છે. આ દિવસે તમે ગંગા-જમુના કે કોઈ પણ મોટી નદી અને અમારા મહુવા ગામની જુની માલણ નદીમાં પડિયામાં દીવો કરીને કુંવારી કે પરણેલી સ્ત્રીઓ વહેતો મૂકે છે અને અનેક અબળખા સેવે છે. તેને દીપદાન કહે છે. તુલસીવિવાહ નિમિત્તે તુલસીના છોડનું અને આ અગિયારશનું મહાત્મ્ય સમજાવવું છે.

(૧) મુંબઈના દાદર ખાતેના સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનવત્સલ સ્વામીને આ દેવદિવાળીનું તેમની દ્રષ્ટિએ મહત્વ સમજાવવા કહ્યું તો નવી વાતો જાણવા મળી. સ્વામિનારાયણ ભગવાનનો દીક્ષા દિવસ કારતક સુદ ૧૧નો હતો. પછી હાલના પ્રમુખસ્વામીનો દીક્ષા દિવસ પણ આ એકાદશી છે. તેમનો જન્મ પણ યોગાનુયોગ દેવદિવાળી ઉર્ફે પ્રબોધિની એકાદશીને દિવસે હતો!

આ દિવસે જ્ઞાનવત્સલ સ્વામીના કહેવા પ્રમાણે અમારા મંદિરમાં શાકભાજીની લારી લાવી તેમાં ભગવાનની મૂર્તિ બેસાડીએ, તેને નવી નવી તમામ પ્રકારની તાજી શિયાળાની નવી શાકભાજી ધરાવીએ. તેને હાટડી કહે છે. જૈનો કે બીજાઓ ચોમાસામાં લીલોતરી શાકભાજી ખાતા નથી તે દેવદિવાળીથી ભગવાનને ધરીને ખાય છે. વૈષ્ણવ-સંપ્રદાયના લોકો આ શાકભાજીની લારીને ભગવાનની ‘હાટડી’ કહે છે. હાટડીનાં દર્શન કરવા હોય તો અમદાવાદ કે મહુવા કે મુંબઈના સ્વામિનારાયણના મંદિરે ૬-૧૧-૧૧ને શનિવારે જજો.

(૨) કાકા કાલેલકર દેવદિવાળીને મહા-એકાદશી કહેતા. એ દિવસે વૈષ્ણભક્તો સવારે ૪ વાગ્યે ઊઠીને કાર્તિકસ્નાન કરે. પ્રાર્થનામાં ગીતાનો ૧૫મો અધ્યાય વંચાય છે. શું કામ ૧૫મો અધ્યાય? એટલા માટે કે શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું કે ‘જે માનવી માન-મોહ ત્યાગીને અધ્યાત્મમાં લીન રહીને સુખ-દુ:ખને મનમાં લાવ્યા વગર રહે છે તે આત્મજ્ઞાનવાળો થઈને સફળ જીવન વિતાવે છે. કાકા કાલેલકરની શિખામણ દેવદિવાળીએ શહેરીઓ પાળે અને આ દિવસ તો કુટુંબના તમામ લોકો ભેગા મળીને ગાળે.

(૩) તુલસીવિવાહ અને અગિયારસનું મહત્વ જાણવા રાજકોટના ડૉ.. નિરંજન રાજ્યગુરુ જેમણે પ્રાચીન ભજનો ઉપર મહાનબિંધ લખી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયા હતા તેમને ફોન કર્યો. ડૉ.. રાજ્યગુરુએ કહ્યું ‘અઢાર પુરાણો પૈકી પદ્મપુરાણ છે તે વ્યાસે રચેલું છે. તેમાં જાલંધર નામના એક અસુરની કથા છે. જાલંધરે ભાગ્યાશાળી નીવડ્યો કે તેને વૃંદા નામની અતિ ચારિત્રયવાન અને સતિ જેવી પત્ની મળી. આ જાલંધર નામના અસુરના બળ સામે દેવતાઓનું બળ એ રીતે ઝાંખું પડતું હતું કે ચારિત્રયવાન પત્ની વૃંદાની તપસ્યાનું ફળ જાલંધરને મળતું હતું તેથી તેને જીતી શકાતો નહોતો. તો પછી જાલંધરને કેમ હણવો? દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા. તેમણે કહ્યું કે વૃંદાનું અણીશુદ્ધ ચારિત્રય છે ત્યાં સુધી તમે જાલંધરને જીતી શકશો નહીં.

વધુ પડતા ભણેલા-ગણેલા વાચકો આવી કથા પ્રત્યે નાકનું ટેરવું ન ચઢાવે કારણ કે તેમાંથી પણ પ્રેરણા મળે છે. પ્રેરણા એ છે કે આપણા ઘરમાં ચારિત્રયવાન સ્ત્રી હોય અને તે દરેક રીતે અણીશુદ્ધ હોય તો તમારા કુટુંબને કોઈ જ આપત્તિ નડતી નથી. આ જાલંધરને વશ કરવો હોય તો વૃંદાના ચારિત્રયમાં ખામી આવે તેવું કંઈક દેવતાઓએ તિકડમ કરવું જોઈએ. ખુદ વિષ્ણુ ભગવાને જ જાલંધરનું સ્વરૂપ લીધું અને વૃંદાને ભ્રમમાં નાખવા ગયા પણ વૃંદા તો વિષ્ણુના છલને ઓળખી ગઈ અને વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ તેના પતિવ્રતા ધર્મનો ભંગ કરવા કોશિશ કરી તેથી વિષ્ણુને શ્રાપ આપ્યો. એટલે વિષ્ણુ પથ્થર-શાલગિ્રામ થઈ ગયા. લક્ષ્મીજીએ વળતો શ્રાપ વૃંદાને આપ્યો તે વૃક્ષ- તુલસી થઈ ગઈ. એ તુલસીનાં દર વર્ષે કારતક સુદ ૧૧ના દિવસે પથ્થર-શાલિગ્રામ સાથે લગ્ન થાય છે!

(૪) પ્રબોધિની એકાદશીને ગામડાના લોકો દેવઊઠી અગિયારશ કહે છે અને માને છે કે આ દિવસે ઉપવાસ કરનારનાં તમામ પાપનો નાશ થાય છે. તાત્પર્ય કે તંદુરસ્તીનો પાયો નખાય છે.

(૫) ડૉ.. નિરંજન રાજ્યગુરુ મૂળ ઘોઘાવદર ગામ જ્યાં ભક્તકવિ દાસી જીવણ થઈ ગયા તે ગામના છે. ગોંડલથી ચાર માઈલ દૂર ઘોઘાવદર ગામ છે. ત્યાં ૨૬૧ વર્ષ પહેલાં જગા દાફડા અને પરમ ભક્તાણી સામબાઈને પેટે જીવણદાસજી જન્મ્યા. હરજિન હતા. ચામડાં કેળવતા. ખેડૂતોના કોસ સાંધતા. તે જમાનામાં ભક્તોનો પાર નહોતો. ભીમદાસ, ખીમદાસ, રવિદાસ, ભાણદાસ, મોરારદાસ જેવા કોઈ પાટીદાર, મેઘવાળ, કડિયા કે કુંભાર કોમના હતા. તે ભક્તો અસ્પૃતા રાખતા નહીં. ચમાર જીવણદાસ આ બધાના સત્સંગથી ભજનો રચતા થયા. દાસી જીવણ તરીકે ઓળખાયા. હરજિનોને તુલસીવિવાહનો મહિમા સમજાવ્યો. મુંબઈની મોટા ભાગની ઝૂંપડપટ્ટીમાં મેઘવાળ હોય કે હરજિન હોય કે મહારાષ્ટ્રીયન હોય તેને ઘરે સો ટકા તુલસી પૂજાતાં હશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !