નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો સ્વિટમાં 'ગુલાબજાંબુ'

 
 
મિઠાઈમાં બનાવો ગુલાબજાંબુ

સામગ્રી :-

500 ગ્રામ મોળો માવો,
250 ગ્રામ પનીર,
125 ગ્રામ મેંદો,
125 ગ્રામ આરારૂટ,
500 ગ્રામ ખાંડ -
ચાસણી માટે,
ચપટી સોડા,
કેસરનું એસેન્સ,
થોડો લીંબુનો રસ,
દૂધ,
ઘી -પ્રમાણસર.

રીત :-

-માવો અને પનીરને ખમણી રવાદાર ભૂકો બનાવવો.
-તેમાં મેંદો અને આરારૂટ ભેળવી, વરચે ખાડો કરી,
-તેમાં થોડું દૂધ અને ચપટી સોડા નાખી, થોડીવાર રહેવા દેવું.
-પછીથી દૂધ નાખી, ખૂબ મસળી, કણક તૈયાર કરવી.
-તેમાંથી લૂઓ લઇ, ઉપરથી લીસાં અને ફાટ વગરના ગુલાબજાંબુ બનાવી ઘીમાં તળી લેવાં.
-હવે એક વાસણમાં ખાંડ લઇ તે ડૂબે એટલું પાણી નાખી, ઉકળવા મૂકવું.
-ઉકળે એટલે લીંબુનો રસ ઉમેરી લો
-થોડું કેસરનું એસેન્સ ઉમેરી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ પર ગરમ રાખવી.
-તેમાં બધાં ગુલાબજાંબુ નાખી, થોડીવાર રાખી ઉતારી લેવું.
-ત્યારબાદ કેસરનું એસેન્સ નાખી ત્રણ ચાર કલાક ઠરવા દેવા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !