નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક લિટર પેટ્રોલની વાસ્તવિક કિંમત જાણી ચોંકતા નહીં!

ભારતમાં પેટ્રોલ મોંઘું થવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમાંથી મોટી કમાણી કરે છે. પેટ્રોલના ભાવ વધારા પર કેન્દ્રને કોસનાર રાજ્ય સરકારો પણ તેનાથી મોટી કમાણી કરે છે.

- ક્રૂડ તેલનો પ્રતિ લિટર ભાવ રૂપિયા 33 અને તેને પેટ્રોલમાં ફેરવવાનો રૂપિયાના 8ના ખર્ચ સાથે પેટ્રોલની કિંમત થઇ ફક્ત 41 રૂપિયા
- તમને તે મળી રહ્યું છે ઓછામાં ઓછું પ્રતિ લિટર રૂપિયા 68ના ભાવે
- કારણ કે તેના પર બંને સરકારો મોટો ટેક્સ વસૂલે છે


આવો તેના માટે પેટ્રોલના સમીકરણને સમજો. જો ક્રૂડતેલ સરકારને 110 ડોલર પ્રતિ બેરલ ખરીદ્યું હતું તો તે સમયે તેનો ભારતીય મુદ્રામાં તેનો ભાવ આવ્યો 5280 રૂપિયા. એક બેરલમાં અંદાજે 129 લિટર તેલ હોય છે. તેનો મતલ એ થયો કે ક્રૂડ તેલનો પ્રતિ લિટર ભાવ રૂપિયા 33માં પડ્યો.

હવે આ ક્રૂડ તેલને ભારત લાવવા અને તેને પેટ્રોલમાં ફેરવવામાં પ્રતિ લિટર રૂપિયા 8નો ખર્ચ આવે છે એટલે કે પેટ્રોલની કિંમત થઇ ફક્ત 41 રૂપિયા અને તમને તે મળી રહ્યું છે ઓછામાં ઓછું પ્રતિ લિટર રૂપિયા 68ના ભાવે. કારણ કે તેના પર બંને સરકારો મોટો ટેક્સ વસૂલે છે. ડિલરને એક લિટર પેટ્રોલ પર અંદાજે સવા રૂપિયો પ્રતિ લિટરનું કમિશન આપવામાં આવે છે.

એટલે કે લગભગ 42.50 રૂપિયાનું પેટ્રોલ દિલ્હીમાં 68.54 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઇમાં 73 રૂપિયા 57 પૈસાનું વેચાણ છે. હવે તમે અંદાજ લગાવો કે સરકારો આમાંથી કેટલી મોટી કમાણી કરી રહ્યું છે.

એક ધારણા પ્રમાણે કેન્દ્ર સરકારને દર વર્ષે પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાંથી રૂપિયા 82000 કરોડ પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકારોને પણ આટલી જ કમાણી છે. એકલી દિલ્હી સરકાર પેટ્રોલમાં પ્રતિ લિટર રૂપિયા 12.50ની કમાણી કરે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !