નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વાત નવાઈની છે પણ ડોક્ટરનું કામ કરે છે, આ ડ્રાયફ્રૂટ્સ

આપણા મનમાં મોટાભાગે પિસ્તા-બદામ તથા અખરોટ ખાવા માટે કેટલીક અવધારણાઓ ફેલાયેલી છે. જેમ કે તે ખૂનમાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લીસાઇડ વગેરે વધારી હૃદયરોગની સંભાવનાને વધારી છે, પણ એવું નથી. આ સૂકાયેલા ફળોના અનેક ફાયદા છે, તેનું ચોક્કસ માત્રામાં સેવન મસ્તિસ્ક માટે જ નહીં, પણ અનેક રોગોમાં બચાવ કરવાનું કામ કરે છે. હાલમાં જ એક શોધ કરવામાં આવી છે કે પિસ્તા-બદામ તથા અખરોટ ખાનાર મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત રોગીઓ, જેમાં હૃદય સાથે સંબંધિત રોગોમાં પ્રબળ સંભાવના હતી, તેને ઓછું થતા જોયું છે.

પિસ્તા બદામ તથા અખરોટ ખનારાઓમાં સેરેટોનિન નામનું રસાયણનું સ્તર વધી જાય છે, જે તાંત્રિક સંવેદનાને લઈ જવાનું કામ કરે છે, પરિણામ સ્વરૂપ વ્યક્તિમાં ભૂખ મટી જાય છે, તથા એક ખુશનુમાન અહેસાસ હૃદય માટે ફાયદાકારક બને છે. બસ ધ્યાન રાખવું કે પિસ્તા બાદામ તથા અખરોટની નિયમિત માત્રા એક નિયમિત માત્રાથી વધુ ન હોવી જોઈએ. આ સંશોધન એ.સી.એસ.ના જર્નલ ઓફ પ્રોટીઓમ રિસર્ચમાં પ્રકાશિત થયું છે. યુનિવર્સિટી ઓફ બારસિલોનાના શોધકોએ માન્યું છે કે, વિશ્વમાં મેદસ્વીતાથી પીડિત રોગીઓનું વધવું, મેટાબોલિક સિન્ડ્રોમ સાથે સીધો સંબંધિત છે. જેમાં પેટની આસપાસની ચરબીમાં વધારો, હાઈ બ્લડ શુગર અને હાઈ બ્લડ પ્રેશર વધવું નક્કી હોય છે.

આથી, ખાવા-પીવામાં પરિવર્તન કરી, વજનને નિયંત્રિત કરી, શરીરને સ્વસ્થ રાખી શકાય છે, તેમાં નિયમિત પિસ્તા બદામ તથા અખરોટની નિયમિત માત્રામાં સેવન પણ સમ્મેલિતહોય. તમને જાણ જ હશે કે આ સૂકાયેલ ફળ પોષક તત્વોથી ભરેલા હોય છે, તેમાં સારી ચરબી(અનસેચુરેટેડ ફેટી-એસિડ) તથા એન્ટી-ઓક્સિડેન્ટ(પોલીફેનોલ) જોવા મળે છે, જે મેટાબોલિક સિન્ડ્રોમથી લડવામાં મદદગાર હોય છે. તો આજથી જ ખાવાનું શરૂ કરી દો અખરોટ, પિસ્તા અને બદામ અને હૃદયરોગને કરો ના, ના...પણ સાવધાન એક જરૂરી માત્રામાં જ ખાજો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !