નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો મિષ્ટી મિષ્ટી 'વેઢમી'

 
 
વેકેશનમાં માણો વેઢમીની મજા

સામગ્રી :

1 વાટકી તુવેરની દાળ.
1.5 વાટકી ખાંડ
2 ચમચી નાયલોન કોપરાનું છીણ
1 ચમચી ખસખસ

રોટલી બનાવવા
1 કપ ઘઉંનો લોટ
પ્રમાણ સર તેલનું મોણ
તળવા માટે તેલ


રીત :

-સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફવા મુકો.
-આ માટે જેટલી દાળ હોય એટલા પ્રમાણમાં પાણી મુકવું.
-કુકરને ચાર સીટી વગાડવી. થોડીવાર બફાયા પછી તેને કુકરમાંથી કાઢી લેવી.
-આ બફાયેલી દાળને નોન્સ્ટીક વાસણમાં તેલનો હાથ લગાડી ગેસ પર મધ્યમ તાપે મુકવી.
-હવે તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહેવું.
-થોડા સમય બાદ જ્યારે ખાંડનું પાણી બરાબર બળી જાય તેટલે ગેસ પરથી ઉતારી લો
-ગોળી વળી શકે તેવું પુરણ તૈયાર થઈ જાય એટલે તેને તરત ગેસ પરથી ઉતારી લેવું.
-આ રીતે તૈયાર થયેલા પુરણને એક થાળીમાં કાઢી લો
-તેના ઉપર પહેલા ખસખસ અને તે પછી કોપરાનું છીણ ભભરાવવું.

-હવે ઘઉંના લોટમાં સહેજ મ્હોણ નાખીને રોટલીનો લોટ બાંધવો.
-લોટને તેલનો હાથ મારીને સરખો કરવો. તેના લુઆ બનાવીને પહેલા પુરી જેટલું વણવું.
-તે પછી તેમાં પુરણ ભરીને તેને ચારેબાજુથી બંધ કરી, સહેજ દબાવી, ફરીથી મધ્યમ કદનું વણી લો
-આ રીતે તૈયાર થયેલી પુરણપોળીને તવા પર શેકી લેવી.
-તવા પરથી ઉતારીને તેની પર ઘી ચોપડી લેવું.
-આ પુરણપોળીને કઢી-ભાત કે દાળ સાથે ઉપયોગમાં લેવાથી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !