નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગ્રાહકો લેબલ જોતા જ નથી!

 
 
વિગતો વચ્ચે અને મોટા અક્ષરમાં હોવી જરૂરી છે

મોલ અને મોટા સ્ટોરમાં જીવનજરૂરી ચીજોની ખરીદી કરવા જતા મોટાભાગના ગ્રાહકો તેમાં ન્યૂટ્રિશનની વિગતો જોતા જ નથી. આ અંગે થયેલા એક સંશોધનમાં સાથે એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે આવાં લેબલ પેકેટની મધ્યમાં હોવાં જોઈએ જેથી ગ્રાહકો તે સરળતાથી વાંચી શકે.

આઈ-ટ્રેકિંગ સાધનની મદદથી કરવામાં આવેલા આ સંશોધનમાં એવું પણ ધ્યાનમાં આવ્યું કે સરેરાશ ગ્રાહક માત્ર ફૂડ કન્ટેન્ટ લેબલની ઉપરના ભાગ ઉપર જ નજર ફેરવી લેતા હોય છે. આ અંગેના અભ્યાસ દરમિયાન મોલમાં ખરીદી કરવા આવેલા લોકોને ફૂડ પ્રોડકટમાં ન્યૂટ્રિશન લેબલ, ચિત્ર અને ઈનગ્રેડિયેન્ટ્સની યાદી જોવા જણાવવામાં આવ્યું હતું.

ગ્રાહકોએ આ અંગે અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે આવી વિગતો જો મધ્યમાં અને મોટા અક્ષરમાં હોય તો તેમને વાંચવામાં સરળતા રહે. ન્યૂટ્રિશન કન્ટેન્ટનાં લેબલ વચ્ચે મૂકવાથી ૬૧ ટકા ખરીદદારોએ તે અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જ્યારે તેની સામે પેકેટની છેક ઉપર અથવા નીચે આવાં લેબલવાળી સામગ્રીની વિગતો વાંચવામાં અનુક્રમે ૩૭ અને ૩૪ ટકાએ જ રસ દાખવ્યો હતો.

કેવી રીતે જાણી ગ્રાહકોની મરજી?

યુનિવર્સિટી મિનેસોટા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દ્વારા ન્યૂટ્રિશન અંગે ગ્રાહકોની જાગૃતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈ-ટ્રેકિંગ સાધનની મદદથી કરવામાં આવેલા આ સંશોધનમાં એવું પણ ધ્યાનમાં આવ્યું કે સરેરાશ ગ્રાહક માત્ર ફૂડ કન્ટેન્ટ લેબલની ઉપરના ભાગ ઉપર જ નજર ફેરવી લેતા હોય છે. ન્યૂટ્રિશન કન્ટેન્ટનાં લેબલ વચ્ચે મૂકવાથી ૬૧ ટકા ખરીદદારોએ તે અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !