નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સલાહનું મહત્વ કઇ રીતે થાય છે નક્કી

 
 
લોકો સલાહકાર હોય છે, પણ સલાહનું મહત્વ કઇ રીતે નક્કી થાય છે, તે પણ જોવું જોઇએ.

સૂચના, સલાહ, વાત એની માનવામાં આવે છે, જેનો અનુભવ બીજાથી વધારે હોય. પહેલાં આવું જ હતું. આ જ એક આધાર હતો. હવે ધીરે ધીરે વયની મર્યાદા તેનો વિસ્તાર વધારતી જાય છે. કેટલીક વાર તો નાના મોઢે પણ સમજદારીપૂર્વકની સલાહ સાંભળવા મળી જાય છે.

તો શું એ નાનકડું બાળક સલાહકાર બની ગયું? વકતા ક્યારેય સલાહકાર નથી હોતો. શ્રોતા હોય, સાંભળે અને સમજે, તો કહેનારું કંઇ મહત્વ પણ ગણાય. જ્યાં સુધી કોઇ સલાહ માને નહીં, ત્યાં સુધી તે એક સામાન્ય વાત જ છે. તમે કહો અને કોઇ માની લે, તો તે સલાહ છે. સલાહ આપવાથી જ સલાહકાર નથી બનાતું. તેનું અસ્તિત્વ સલાહ માનનારની સાથે જોડાયેલું છે.

સલાહ આપવી અને સૂચના કરવી એ બંનેમાં ફરક છે. સૂચના જાણ્યા વિના, કોઇની સ્થિતિને સમજયા વિના આપી શકાય છે.જોકે સલાહ આપનાર દરેક વાતને સારી રીતે સમજીવિચારીને પોતાની વાત કહે છે. સલાહકારનો એક હોદ્દો પણ હોય છે, જેમાં સલાહ આદેશાત્મક નથી હોતી. તેમાં ન માનવાની છુટ હોય છે. જ્યારે કોઇ કહે કે જુઓ, આ એક સલાહ છે, તો તેનો કહેવાનો અર્થ એવો થાય કે, મારી દ્રષ્ટિએ આમાં તમારું હિત સમાયેલું છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !