નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !

લોહીનું ઉંચું દબાણ કોઇ સંકેત આપતું નથી અને શાંતિથી માણસની કતલ કરે છે. ઉંચુ દબાણ ત્યારે ખબર પડે છે જયારે અંગોને ઇજા પહોંચે છે. એટલે અવારનવાર નિયમીત રૃપે મ્ઁ ચેક કરાવવું જોઈએ. ૧૨૦/૮૦ મીમી - મરકયુરી સામાન્ય દબાણ કહેવાય છે.
ઊંચા મ્ઁ થી અંધાપો, હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનીના રોગો થાય છે. લોહીનું દબાણ એ જીવનભરની ધ્યાનપાત્ર બાબત છે. એટલે તેની કાળજી જીવનભર લેવી પડે છે. યોગ્ય આહાર, વ્યાયામ, ધુમ્રપાન, બંધ અને દવાઓ તેનો ઉપાય છે. હૃદયરોગ- નિષ્ણાતની નીચેની વાત પર ધ્યાન આપો.
વ્યાયામને દૈનિક કાર્યક્રમમાં ઊમેરો. રોજ ૩૦ મિનિટ વ્યાયામ કરો તરવું, સાયકલિંગ વોક, બાગકામ, બારીઓ ધોવી, પગથિયાનો ઉપયોગ, ગ્રોસરી ઉચકવી મોલમાં ચાલવું વગેરે વ્યાયામ છે. ૪ ણય વજન ઘટાડવાથી મ્ઁ ઘટે છે. ૩૦ મિનિટ રોજ ચાલવાથી દવા ઘટાડી શકાય છે. અથવા દવાની અસર સારી થાય છે. વ્યાયામથી ૫-૧૫ મી.મી. દબાણ ઘટાડી શકાય છે. ઘરમાં સ્ટેશનરી બાઇક કે ટ્રેડમિલ વસાવીને પણ વ્યાયામ થઇ શકે છે. ૧૦ મિનિટના ૩ નાના વર્ક આઉટ પણ ઉપયોગી બને છે. તમને આમાંથી કંઇક તો ફાવશે જ ને ? કસરત પહેલાં પછી સ્ટ્રેચ ખાસ કરવા જેથી વોર્મ અપ અને કુલિંગ થઇ શકે. સ્ટ્રેચ અગત્યની એકસરસાઇઝ છે. વ્યાયામ ઉપરાંત આહારમાં ફળો-શાકબાજી વધુ લેવા ઓછા ફેટની ડેરી પ્રોડકટ લેવી. સેચ્યુરેટેડ અને ટોટલ ફેટ ઘટાડવા તેનાથી દબાણમાં ૮-૧૪ મીમી ઘટાડો થઇ શકે ઓછા મીઠાથી દબાણમાં ૨-૮ મીમી ઘટાડો કરી શકાય. પુરુષોએ બે અને સ્ત્રીઓએ એક થી વધુ ડ્રિન્ક ના લેવા. વૈજ્ઞાાનિક રીતે એક ડ્રિન્ક એટલે ૩૫૦ મીલી બીઅર, ૧૫૦ મીલી વાઇન અથવા ૪૫ મીલી ૮૦ પ્રુફ લિકર ઉપરની બધી જ વસ્તુઓ અપનાવવી.. !
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !