નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બિગ બીની 'બુલેટ'થી ચાહકો થયા 'ઘાયલ', જૂનાગઢની તસવીરો


Share22 |  

ગુજરાત ટુરિઝમ દ્વારા હાલ જુનાગઢમાં ખુશ્બુ ગુજરાત કીનું શુટિંગ ચાલી રહ્યું છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ભાગ ભજવી રહ્યાં છે. બે દિવસથી જુનાગઢમાં ચાલી રહેલા ટુરિઝમનાં આ ફિલ્મનાં નાયક અમિતાભને જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. અહીંના ઉપરકોટના કિલ્લામાં અમિતાભ બચ્ચનને બુલેટ ચલાવતા દેખાડવાનાં હોવાથી અમિતાભે પ્રથમ ત્રણ ચાર વાર બુલેટ ચલાવવાની પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ બચ્ચને ફાઇનલ શોટ આપ્યો હતો. બચ્ચનને જોવા  માટે લોકોની ભારે ભીડ જામી હતી. જો કે પોલીસનો સજજડ બંદોબસ્ત હોય લોકો નિરાશ થયા છે. તેમ છતા અમિતાભને સમય  મળતા ચાહકોનું દુરથી હાથ ઉંચો કરી અભિવાદન કરે છે. બચ્ચનને જોતા જ ચાહકોની ચીચીયારીઓથી ઉપરકોટ વિસ્તાર ગુંજી ઉઠયો હતો.







 

 
 
 

 

 

 

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !